✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ દિયર-ભાભી વચ્ચે શારીરિક સંબંધો બંધાયા, બંને સાથે રહેવા લાગ્યાં, પછી અચાનક શું થયું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Nov 2017 11:33 AM (IST)
1

સરખેજ પોલીસે આપેલી વિગતો પ્રમાણે સરખેજમાં ધોળકા રોડ પર ફતેવાડી, મારૂતીનગરમાં રહેતા પ્રભુભાઈ ભલાભાઈ પ્રજાપતિ (45)ને પોતાની સગી ભાભી લાભુબહેન રતીલાલ પ્રજાપતિ (44) સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. પહેલાં બંને છૂપી રીતે મળતાં ને પોતાની શરીરની ભૂખ સંતોષતાં હતાં.

2

લાભુબહેન નવી ફતેવાડીમાં આઝાદનગરમાં તેમના પતિ રતીલાલ સાથે રહેતાં હતાં પણ પ્રભુભાઈ સાથે સંબંધો બંધાતાં તેમણે પતિનું ઘર છોડ્યું હતું. બંનેને એકબીજા વિના નહીં રહી શકાય તેમ લાગતાં બંને સાથે રહેવા લાગ્યાં હતાં. બન્ને પરણિત હોવાથી સ્વાભાવિકપણે સમાજમાં અને પરિવારમાં વિરોધ હતો.

3

અમદાવાદઃ સરખેજમાં રહેતા એક પુરૂષ પોતાની સગી ભાભી તરફ આકર્ષાયો હતો. ભાભીને પણ દિયર સાથે આકર્ષણ થતાં બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. જો કે એકબીજાના પ્રેમમાં ગળાડૂબ દિયર અને ભાભીને સમાજના કારણે સાથે નહીં રહી શકાય એવું લાગતાં બંનેએ તળાવમાં પડતું મુરીને આત્મહત્યા કરી લીધી હતી.

4

બન્નેએ સાથે રહી શકીએ એમ ન હોવાથી આત્મહત્યા કરતા હોવાનું જણાવ્યું છે. આ બનાવને પગલે ફતેવાડી વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સરખેજ પોલીસના જણાવ્યા મુજબ લાભુબહેનને પ્રભુભાઈ સાથે સંબંધ હતો અને બન્ને સાથે રહેતા હતા. કેસની વધુ તપાસ સરખેજ પી.એસ.આઈ. વી.સી.મકવાણા ચલાવી રહ્યા છે.

5

લાભુબહેનનો મૃતદેહ સવારે 8 વાગ્યે નજરે ચડતા લોકોએ સરખેજ પોલીસને જાણ કરી હતી. 19 નવેમ્બરના રોજ પ્રભુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રભુભાઈની છાતીએ બાંધેલી ૬૦ પાનાની સુસાઈટ નોટ (ચોપડો) પોલીસને મળી આવી હતી. લાભુબહેને આત્મહત્યા કરતા પહેલા મંદિરના ઓટલા પર એ જ સુસાઈડની ઝેરોક્ષ મુકી હતી.

6

આ વિરોધના કારણે સાથે રહી નહી શકાય એમ જણાતા બન્નેએ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પ્રભુભાઈના ભત્રીજા જીતેન્દ્ર પ્રજાપતિએ તેના કાકાની ગૂમ થયાની ફરિયાદ આપી હતી. જો કે બંનેએ 18 નવેમ્બરના રોજ વહેલી સવારે સરખેજના ફતેવાડી પાસે હનુમાન મંદિર નજીકના તળાવમાં પડતું મુક્યું હતું.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ દિયર-ભાભી વચ્ચે શારીરિક સંબંધો બંધાયા, બંને સાથે રહેવા લાગ્યાં, પછી અચાનક શું થયું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.