અમદાવાદઃ 17 વર્ષના યુવકે 21 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, જાણો પછી કેવો આવ્યો કરુણ અંજામ?
બંને સૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, બંને પરિવાર ઝઘડતા નહીં અને અગ્નિદાહ આપો કે, દફનવીધી કરો બંનેની સાથે કરજો તેવી અંતિમ ઇચ્છા વ્યક્ત કરી હતી. બંનેના પરિવારનો વિરોધ હોવાથી લગ્ન કરી છેલ્લા દસ મહિનાથી સેટેલાઇટ વિસ્તારમાં રહેતા હતા. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ શહેરના સેટેલાઇટ ખાતે આવેલા રણુજાનગરમાં રહેતા એક રાજસ્થાની યુગલે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. 17 વર્ષીય યુવક અને 21 વર્ષીય યુવતીએ ગત ફેબ્રુઆરી મહિનામાં જ લગ્ન કર્યા હતા અને અહીં રૂમ રાખીને ભાડે રહેતાં હતાં, ત્યારે ગઈ કાલે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. તેમની પાસેથી એક સૂસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમણે પરિવારની મરજી વગર લવ મેરેજ કર્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ સૂસાઇડ પાછળનું કારણ પણ જણાવ્યું હતું.
આ આત્મહત્યા પહેલાં પરેશે ચેતનાના પિતાને ઉદ્દેશીને બે પાનાની સુસાઇડ નોટ લખી હતી. બંનેએ પોતાના દુઃખદ અનુભવ લખ્યા હતા અને બંને પરિવારને ન ઝઘડવાનું કહીને સાથે અંતિમવિધિ કરવા લખ્યું હતું. બીજી તરફ ચેતનાએ પરેશના પિતા અને પરિવારને ઉદ્દેશીને સૂસાઇડ નોટ લખી હતી. જેમાં પણ શરુઆતથી લઇ અંત સુધીના પરિવારના અનુભવો લખ્યા હતા. પરિવાર વાત ન કરતું હોવાથી બંને એ અંતિમ પગલુ ભર્યું હતુ.
નોંધનીય છે કે, પરેશ કલાસવા (ઉ.૧૭, મૂળ ડૂંગરપુર, રાજસ્થાન, નામ બદલ્યું છે) અને ચેતના શાંતિલાલ બુમકર (ઉ.૨૧, મૂળ ઉદયપુર, રાજસ્થાન)એ ગત પહેલી ફેબ્રુઆરીએ લવ મેરેજ કર્યા હતા. અને આ પછી રણુજાનગરમાં રહેતા સાથે રહેતા હતા. તેઓ સાથે નોકરી કરતાં હોવાથી પરિચયમાં આવ્યા હતા અને પ્રેમસંબંધ બંધાતા બંનેએ લગ્ન કરી લીધા હતા. પરિવાર નારાજ હોવાથી બંનેએ કંટાળી શનિવારે રાત્રે આપઘાત કરી લીધો હતો.