હાર્દિક પટેલના સમર્થનમાં CM અરવિંદ કેજરીવાલે શું કર્યું ટ્વિટ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Sep 2018 02:39 PM (IST)
1
હાર્દિકે આજે પણ મેડિકલ ચેકઅપની ના પાડી દીધી હતી. સોલા સિવિલની ટીમ મનીષા પંચાલની આગેવાનીમાં ગઈ હતી પરંતું તેણે કોઈ જાતના ટેસ્ટ કરવાની ના પડતા આખરે ટીમ સિવિલ પરત ફરી હતી.
2
રવિવારે હાર્દિક પટેલે ટ્વિટરમાં એક પોસ્ટ લખી હતી જેને આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રિટ્વિટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, ખેડૂતોને દેવા માફી થવી જોઈએ. હાર્દિક પટેલ ગરીબ ખેડૂતો માટે લડી રહ્યાં છે. તમામ ખેડૂત અને અન્ય સમાજ તેમની સાથે છે. તેમના ઉપવાસ નકામા નહીં જાય. પ્રભુ તેમને શક્તિ આપે.
3
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે 10મો દિવસ છે. હાર્દિકના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના નેતા ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતાં. હાર્દિક પટેલના સમર્થનમાં અરવિંદ કેજરીવાલે ટ્વિટને હાર્દિકના સમર્થનમાં ઉતર્યા હતાં.