✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નીતિન પટેલ ભાજપ છોડવાના હોવાની ચર્ચા વચ્ચે બાપુના જૂથના કયા કયા MLAsની બંધબારણે બેઠક યોજાઈ! જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 May 2018 10:36 AM (IST)
1

શુક્રવારે સાંજે ગાંધીનગર ખાતે મળેલી આ બેઠકમાં કયા મુદ્દે બેઠક હતી તે અંગેનો કોઈ એજન્ડા હજુ સુધી જાણવા મળી શક્યો નથી. જોકે વાઘેલા જૂથના સભ્યોની આ બેઠક મળતાની સાથે ગુજરાતના રાજકારણમાં ફરીથી સળવળાટ થતાં ગરમાવો આવી ગયો છે.

2

આ બેઠકમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે.રાઉલજી, રામસિંહ પરમાર, રાધવજી પટેલ, અમિત ચૌધરી, માનસિંહ ચૌહાણ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં તેવા સમાચાર વહેતા થયા હતાં.

3

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યોની ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બંધબારણે એક બેઠક મળી હતી તેવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.

4

હવે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે શંકરસિંહ વાઘેલા જૂથમાં ફરી સળવળાટ થતો જોવા મળ્યો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

5

ગુજરાતમાં ઓગસ્ટ 2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ સાથે છેડો ભાડીને શંકરસિંહ વાઘેલા જુદા પડ્યા હતાં. તેમની સાથે અન્ય 14 જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં.

6

ગાંધીનગર: ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ભાજપ સાથે છેડો ફાડવાના હોવાની ચર્ચા વચ્ચે ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યોની બંધબારણે બેઠક મળી હતી. આ બેઠકના કારણે ગુજરાતના રાજકારમાં ફરી ગરમાવો જોવા મળ્યો છે. આવું છેલ્લા એક-બે દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જોકે આ અંગે શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યો તરફથી કોઈ પણ પ્રકારની પૃષ્ટિ કરવામાં આવી નથી.

  • હોમ
  • અમદાવાદ
  • નીતિન પટેલ ભાજપ છોડવાના હોવાની ચર્ચા વચ્ચે બાપુના જૂથના કયા કયા MLAsની બંધબારણે બેઠક યોજાઈ! જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.