હાર્દિક પટેલના ક્યા ખાસ 5 માણસો છે ચૂંટણીના મેદાનમાં ? કઈ બેઠકો પરથી લડી રહ્યા છે ? જાણો વિગત
પાટણ લો કોલેજના પ્રોફેસર કિરીટ પટેલે જણાવ્યુ છે કે, મને માત્ર પાટીદારોનો જ નહી પરંતુ અન્ય સમુદાયના લોકોનો પણ ટેકો છે. તેમણે કહ્યુ છે કે હું લો કોલેજમાં આઇપીસી ભણાવુ છુ અને ચૂંટણી પછી લોકોને પણ આ ભણાવીશ. પાસના કન્વીનર લલીત વસોયાએ ધોરાજી બેઠક પરથી કોંગ્રેસની સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસે પાસના બે ટેકેદારોને સમાવવા માટે તેની પ્રથમ યાદીમાં ફેરફાર કર્યા હતા. વરાછા રોડ સીટ પરથી ધીરૂ ગજેરા અને કામરેજ બેઠક પરથી અશોક જરીવાલાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. પાસના સૂત્રો મુજબ તેમણે ૯ બેઠકો માંગી હતી, પરંતુ કોંગ્રેસે પાંચ બેઠકો આપવા તૈયારી દર્શાવી હતી.
પાસ કન્વીનરો ઉપરાંત એડવોકેટ બી.એમ.માંગુકીયા કે જેઓ અગાઉ ભાવનગરના ગારીયાધારથી ચૂંટણી લડવામાં અસફળ રહ્યા હતા તેમને પીટાદારોના ગઢ ગણાતા અમદાવાદના ઠક્કરબાપાનગરથી ટિકીટ આપવામાં આવી છે. માંગુકીયા લેઉઆ પાટીદાર છે તેમણે ર૬ ઓગસ્ટ ર૦૧પના રોજ કથિત રીતે પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા શ્વેતાંગ પટેલનો કેસ લડ્યા હતા. શ્વેતાંગની સોસાયટી તેમના મતવિસ્તારમાં જ આવેલી છે.
આ અંગે માંગુકીયાએ કહ્યું છે કે હું લોકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપીશ. તેમણે કહ્યું છે કે પાટીદાર સમુદાય ભાજપથી નારાજ છે જેનો મને લાભ મળશે. તેમણે કહ્યું છે કે આ વિધાનસભા બેઠકના દરેક દરેકે લોકો આ કેસ પછી મને ઓળખવા લાગ્યા છે.
નવી દિલ્લી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના આગેવાન પાંચ સાથીઓ મેદાનમાં ઉતર્યા છે. પાસ કન્વીનર કિરીટ પટેલને પાટણથી કોંગ્રેસે ટીકીટ આપી છે. હાલ પાસના બે કન્વીનરો કોંગ્રેસની ટિકીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.