✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘ચાર્જ ફ્રેમિંગથી બચવા હાર્દિક પટેલ સહિતના આરોપીઓ વારાફરતી ગેરહાજર રહે છે’, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Sep 2018 09:39 AM (IST)
1

અગાઉ તેઓ બાંહેધરી આપી ચૂક્યા છે કે તેઓ વધારે મુદ્દતની માગણી નહીં કરે છતાં પણ દરેક સુનાવણીમાં મુદ્દતની માગણી કરવામાં આવી રહી છે. સુનાવણીમાં જે આરોપી હાજર હોય તેના વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવાની માગણી સરકાર તરફથી કરવામાં આવી છે. હાર્દિકની માગણીને ધ્યાનમાં રાખી કોર્ટે આગામી સુનાવણી 12મી ઓક્ટોબરના રોજ મુકરર કરી છે.

2

હાર્દિક તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી હાઈકોર્ટમાં થઈ ચૂકી છે. જેની સંભવિત સુનાવણી 9મી ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે. તેથી તેને વધુ એક મુદત આપવામાં આવે તેવી શક્યતા છે. સરકારી વકીલની રજૂઆત હતી કે, ચાર્જ ફ્રેમિંગ ટાળવા આરોપીઓ વારંવાર કોઈ બહાનું કરી ગેરહાજર રહે છે.

3

છેલ્લી કેટલીક સુનાવણીઓમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતો હતો અને ચિરાગ અને દિનેશ હાજર રહેતા હતા. જ્યારે શુક્રવારની સુનાવણીમાં હાર્દિક અને ચિરાગ હાજર રહ્યા હતા જ્યારે દિનેશ બાંભણિયા ગેરહાજર રહ્યો હતો.

4

અમદાવાદ: અમદાવાદ અને સુરતમાં ભડકાઉ ભાષણ આપવા બદલ નોંધાયેલા કેસની સુનાવણીમાં સેશન્સ કોર્ટ સમક્ષ સરકારે આક્ષેપ કર્યો હતો કે, કેસના ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા પાછી ઠેલાતી રહે તે માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીન હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા વારાફરતી ગેરહાજર રહે છે.

  • હોમ
  • અમદાવાદ
  • ‘ચાર્જ ફ્રેમિંગથી બચવા હાર્દિક પટેલ સહિતના આરોપીઓ વારાફરતી ગેરહાજર રહે છે’, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.