અમદાવાદઃ 16 વર્ષીય સગીરા પર ત્રણ યુવકોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર, કઈ રીતે છૂટી ચુંગાલમાંથી?
વટવા પોલીસે આ ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સગીરાને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી છે. પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે, આ સગીરાનો પરિવાર મજૂરી કરે છે અને પીપળજમાં ભાડાના મકાનમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ત્રણેય બળાત્કારીઓ સગીરાને અન્ય રાજ્યમાં લઈ જવાના ઇરાદાથી કાલુપુર રેલવે સ્ટેશન લઈ ગયા હતા. દરમિયાન સગીરા આ ત્રણેયને થાપ આપીને ત્યાંથી નાસી છૂટી હતી અને પોતાના માતા-પિતા પાસે પહોંચી ગઈ હતી. જ્યાં તેણે પોતાના આપવીતી કહેતા પરિવારે હિંમત આપતાં કિશોરીએ વટવા પોલીસ સ્ટેશનમાં સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, ચાર દિવસ પહેલા પ્રમોદ વીરેન્દ્ર દૂબે, ધર્મેન્દ્ર અને શ્રીરામ કિશોરસિંહ નામના ત્રણ યુવકો કિશોરીના મોઢે રૂમાલ બાંધી કારમાં બેસાડીને પીપળજ ગામ પાસે રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા મકાનમાં લઈ ગયા હતા. જ્યાં તેના પર ત્રણેયે બળાત્કાર ગુજાર્યો હતો.
અમદાવાદઃ નારોલ પાસે આવેલા પીપળજ ગામની એક સગીરાનું અપહરણ કરીને ત્રણ યુવકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. ચાર દિવસ પહેલા આ ત્રણ યુવકોએ 16 વર્ષીય સગીરાનું અપહરણ કર્યું હતું અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બળાત્કારીઓની ચૂંગાલમાંથી છૂટેલી કિશોરીએ ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -