✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં હમણાં જ ભાજપમાં જોડાયેલા ક્યા નેતા ભાજપને રામ રામ કરી દેશે ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Sep 2018 09:34 AM (IST)
1

શંકરસિંહની નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહેન્દ્રસિંહ હાલ કોઇ પણ પક્ષમાં નહી જોડાય પરંતુ બાપુની શૈક્ષણિક સંસ્થાઓ પર વધુ ધ્યાન આપી શકે છે. શંકરસિંહ બાપુએ તેમના વતન વાસણ ખાતે બાપુ નોલેજ એકેડમી ઉપરાંત ગાંધીનગરમાં પણ કોલેજો ઉભી કરી છે.

2

તાજેતરમાં જ શંકરસિંહ વાઘેલાના પુત્ર અને ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા પરંતુ હવે શંકરસિંહ વાઘેલાએ મહાગઠબંધન અને ત્રીજા મોરચામાં એકબીજા પક્ષો કે આગેવાનો વચ્ચેની જોડતી કડી બની મધ્યસ્થીની ભૂમિકા પ્રદાન કરવાની જાહેરાત કરી છે.

3

શંકરસિંહ વાઘેલાએ ભાજપની વિરૂદ્ધનું વાતાવરણ સ્થાપિત કરવાના સક્રિય થવાનું નક્કી કરતાં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપ છોડી દેશે એ નક્કી છે. શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી જ છે કે, શંકરસિંહ અને મહેન્દ્રસિંહ અલગ નથી. શંકરસિંહ હશે ત્યાં મહેન્દ્રસિંહ હશે. બાપુની વાત પરથી મહેન્દ્રસિંહ ભાજપમાં નહીં રહે એ નક્કી મનાય છે.

4

અમદાવાદઃ શંકરસિંહ વાધેલાએ લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે પડવાની જાહેરાત કરી છે ત્યારે તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા એકાદ-બે દિવસમાં ભાજપ છોડી દેશે એવી ચર્ચા છે. તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા ભાજપને રામ રામ કરી કોઇપણ પક્ષમાં નહી રહેવાની જાહેરાત કરી શકે છે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતમાં હમણાં જ ભાજપમાં જોડાયેલા ક્યા નેતા ભાજપને રામ રામ કરી દેશે ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.