ફિક્સ પગારદારો અંગે રાજ્ય સરકારે લીધો વધુ એક મહત્વનો નિર્ણય ? જાણો કોને મળશે લાભ અને ક્યારથી થશે અમલ ?

આ યોજનાનો અમલ ઉચ્ચક નાણાંકીય સહાયની મૂળ યોજના અમલમાં આવી ત્યારથી એટલે કે 5 જુલાઇ-2011થી થશે. આ તારીખ અને ત્યાર બાદ અવસાન પામેલા કર્મચારીઓના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબ પર આવી પડેલ આફતમાં સહાયરૂપ થવાના સંવેદનશીલ અભિગમથી આ નિર્ણય સરકારે કર્યો છે.
જેમાં અગાઉ રાજય સરકારની મંજૂરીથી રહેમરાહે નોકરીની નીતિ કે ત્યાર બાદની ઉચ્ચક નાણાંકીય સહાયની નીતિનો અમલ કરવામાં આવ્યો હોય તેવી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં પણ આ યોજનાનો અમલ કરાશે. આ કર્મયોગીઓના ચાલુ નોકરી-ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં આશ્રિત કુટુંબને રૂપિયા 4 લાખની ઉચ્ચક નાણાંકીય સહાય અપાશે.
આ યોજનાનો લાભ ચાલુ નોકરી-ફરજ દરમ્યાન અવસાન પામતા વર્ગ-3/4 ના ફિકસ પગારની યોજના હેઠળ ફરજ બજાવતા રાજય સેવા તથા પંચાયત સેવાના કર્મચારીઓ ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-3/4ના કર્મચારીઓના કિસ્સામાં સમાન ધોરણે લાગુ પડશે.
ગુજરાત સરકારના કર્મચારી ચાલુ નોકરીએ અવસાન પામે તો તેમના પરિવારને ઉચ્ચક આર્થિક સહાય આપવાની યોજના ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવાઈ છે. હવે આ યોજનાનો લાભ ફિક્સ પગારદારોને પણ મળશે. આ રીતે ગુજરાત સરકારે ફિક્સ પગારદારોના પરિવારોને રાહત આપવા પ્રયાસ કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજય સરકારના ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામનારા ફીકસ પગારની યોજના હેઠળના વર્ગ-3 અને ૪ ના કર્મયોગીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાંકીય સહાય આપવા અંગેની નવી નીતિને આખરી ઓપ આપ્યો છે. તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત કરાઈ છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે ફિક્સ પગારદારો અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4ના ફિક્સ પગારદારો ચાલુ નોકરીએ અવસાન પામે તો તેમના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.