ચૂંટણીના પરિણામો 2024
(Source: ECI | ABP NEWS)
ફિક્સ પગારદારો અંગે રાજ્ય સરકારે લીધો વધુ એક મહત્વનો નિર્ણય ? જાણો કોને મળશે લાભ અને ક્યારથી થશે અમલ ?
આ યોજનાનો અમલ ઉચ્ચક નાણાંકીય સહાયની મૂળ યોજના અમલમાં આવી ત્યારથી એટલે કે 5 જુલાઇ-2011થી થશે. આ તારીખ અને ત્યાર બાદ અવસાન પામેલા કર્મચારીઓના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબ પર આવી પડેલ આફતમાં સહાયરૂપ થવાના સંવેદનશીલ અભિગમથી આ નિર્ણય સરકારે કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં અગાઉ રાજય સરકારની મંજૂરીથી રહેમરાહે નોકરીની નીતિ કે ત્યાર બાદની ઉચ્ચક નાણાંકીય સહાયની નીતિનો અમલ કરવામાં આવ્યો હોય તેવી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં પણ આ યોજનાનો અમલ કરાશે. આ કર્મયોગીઓના ચાલુ નોકરી-ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં આશ્રિત કુટુંબને રૂપિયા 4 લાખની ઉચ્ચક નાણાંકીય સહાય અપાશે.
આ યોજનાનો લાભ ચાલુ નોકરી-ફરજ દરમ્યાન અવસાન પામતા વર્ગ-3/4 ના ફિકસ પગારની યોજના હેઠળ ફરજ બજાવતા રાજય સેવા તથા પંચાયત સેવાના કર્મચારીઓ ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-3/4ના કર્મચારીઓના કિસ્સામાં સમાન ધોરણે લાગુ પડશે.
ગુજરાત સરકારના કર્મચારી ચાલુ નોકરીએ અવસાન પામે તો તેમના પરિવારને ઉચ્ચક આર્થિક સહાય આપવાની યોજના ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવાઈ છે. હવે આ યોજનાનો લાભ ફિક્સ પગારદારોને પણ મળશે. આ રીતે ગુજરાત સરકારે ફિક્સ પગારદારોના પરિવારોને રાહત આપવા પ્રયાસ કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજય સરકારના ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામનારા ફીકસ પગારની યોજના હેઠળના વર્ગ-3 અને ૪ ના કર્મયોગીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાંકીય સહાય આપવા અંગેની નવી નીતિને આખરી ઓપ આપ્યો છે. તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત કરાઈ છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે ફિક્સ પગારદારો અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4ના ફિક્સ પગારદારો ચાલુ નોકરીએ અવસાન પામે તો તેમના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -