✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિક્સ પગારદારો અંગે રાજ્ય સરકારે લીધો વધુ એક મહત્વનો નિર્ણય ? જાણો કોને મળશે લાભ અને ક્યારથી થશે અમલ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jul 2017 02:01 PM (IST)
ફિક્સ પગારદારો અંગે રાજ્ય સરકારે લીધો વધુ એક મહત્વનો નિર્ણય ? જાણો કોને મળશે લાભ અને ક્યારથી થશે અમલ ?
1

આ યોજનાનો અમલ ઉચ્ચક નાણાંકીય સહાયની મૂળ યોજના અમલમાં આવી ત્યારથી એટલે કે 5 જુલાઇ-2011થી થશે. આ તારીખ અને ત્યાર બાદ અવસાન પામેલા કર્મચારીઓના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબ પર આવી પડેલ આફતમાં સહાયરૂપ થવાના સંવેદનશીલ અભિગમથી આ નિર્ણય સરકારે કર્યો છે.

2

જેમાં અગાઉ રાજય સરકારની મંજૂરીથી રહેમરાહે નોકરીની નીતિ કે ત્યાર બાદની ઉચ્ચક નાણાંકીય સહાયની નીતિનો અમલ કરવામાં આવ્યો હોય તેવી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં પણ આ યોજનાનો અમલ કરાશે. આ કર્મયોગીઓના ચાલુ નોકરી-ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં આશ્રિત કુટુંબને રૂપિયા 4 લાખની ઉચ્ચક નાણાંકીય સહાય અપાશે.

3

આ યોજનાનો લાભ ચાલુ નોકરી-ફરજ દરમ્યાન અવસાન પામતા વર્ગ-3/4 ના ફિકસ પગારની યોજના હેઠળ ફરજ બજાવતા રાજય સેવા તથા પંચાયત સેવાના કર્મચારીઓ ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-3/4ના કર્મચારીઓના કિસ્સામાં સમાન ધોરણે લાગુ પડશે.

4

ગુજરાત સરકારના કર્મચારી ચાલુ નોકરીએ અવસાન પામે તો તેમના પરિવારને ઉચ્ચક આર્થિક સહાય આપવાની યોજના ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવાઈ છે. હવે આ યોજનાનો લાભ ફિક્સ પગારદારોને પણ મળશે. આ રીતે ગુજરાત સરકારે ફિક્સ પગારદારોના પરિવારોને રાહત આપવા પ્રયાસ કર્યો છે.

5

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજય સરકારના ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામનારા ફીકસ પગારની યોજના હેઠળના વર્ગ-3 અને ૪ ના કર્મયોગીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાંકીય સહાય આપવા અંગેની નવી નીતિને આખરી ઓપ આપ્યો છે. તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત કરાઈ છે.

6

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ફિક્સ પગારદારો અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4ના ફિક્સ પગારદારો ચાલુ નોકરીએ અવસાન પામે તો તેમના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

  • હોમ
  • અમદાવાદ
  • ફિક્સ પગારદારો અંગે રાજ્ય સરકારે લીધો વધુ એક મહત્વનો નિર્ણય ? જાણો કોને મળશે લાભ અને ક્યારથી થશે અમલ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.