✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રૂપાણી સરકારે રાજ્યના ક્યા 14 આઈએએસ અધિકારીને આપી બઢતી ? ક્યા અધિકારી બન્યા સૌથી નાની વયના સચિવ ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jan 2018 02:13 PM (IST)
1

અમદાવાદ: ગુજરાત સરકારે આઈ.એ.અસ. કેડરના અધિકારીઓને બઢતીના હુકમો કર્યા છે. તમામને તે જ જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. ૨૦૦૨ની બેચના લોચન સેહરા, સંદીપકુમાર અને જયપ્રકાશ શિવહરેને સચિવ કક્ષાએ બઢતી આપવામાં આવી છે.

2

યશસ્વી જીવનના ૩૯માં વર્ષના પ્રથમ દિવસે જ સચિવ બન્યા છે. અત્યારે રાજ્યમાં સચિવ કક્ષાએ ફરજ બજાવતા ૩૦ જેટલા સનદી અધિકારીઓમાં તેઓ સૌથી નાની વયના સચિવ છે. તેઓ સૌરાષ્ટ્રમાં અગાઉ રાજકોટમાં પ્રાંત અધિકારી અને જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

3

ગુજરાત સરકારે ગઈકાલે ૨૦૦૨ની આઈ.એ.એસ. કેડરના ૩ અધિકારીઓને અધિક સચિવમાંથી સચિવ કક્ષાએ બઢતી આપતા હુકમ કર્યા તેમાં શહેરી વિકાસ કંપનીના એમ.ડી. લોચન સેહરાનો સમાવેશ થાય છે. લોચન સહેરાનો જન્મ તા. ૧ જાન્યુઆરી ૧૯૮૦ના દિવસે થયેલ. ગઈકાલે તેમને જન્મદિને જ બઢતીરૂપે ભેટ મળી છે.

4

જ્યારે ૨૦૦૫ની બેચના રાજકોટ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે સહિત ૧૪ અધિકારીઓને સિલેકશન ગ્રેડ સાથે અધિક સચિવ કક્ષો બઢતી અપાઇ છે. સિલેકશન ગ્રેડ મેળવનાર અધિકારીઓમાં વિક્રાંત પાંડે, હર્ષદ પટેલ, પી. ભારથી, રણજીતકુમાર જે., કે.ડી. કાપડીયા, કે.એમ. ભીમજીયાણી, ડી.જી. પટેલ, એસ.એમ. પટેલ, આર.જી. ત્રિવેદી, એન.એલ. પુજારા, એચ.કે. પટેલ, વી.એ. વાઘેલા વગેરેનો સમાવેશ થાય છે.

  • હોમ
  • અમદાવાદ
  • રૂપાણી સરકારે રાજ્યના ક્યા 14 આઈએએસ અધિકારીને આપી બઢતી ? ક્યા અધિકારી બન્યા સૌથી નાની વયના સચિવ ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.