રૂપાણી સરકારે રાજ્યના ક્યા 14 આઈએએસ અધિકારીને આપી બઢતી ? ક્યા અધિકારી બન્યા સૌથી નાની વયના સચિવ ? જાણો વિગત
અમદાવાદ: ગુજરાત સરકારે આઈ.એ.અસ. કેડરના અધિકારીઓને બઢતીના હુકમો કર્યા છે. તમામને તે જ જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. ૨૦૦૨ની બેચના લોચન સેહરા, સંદીપકુમાર અને જયપ્રકાશ શિવહરેને સચિવ કક્ષાએ બઢતી આપવામાં આવી છે.
યશસ્વી જીવનના ૩૯માં વર્ષના પ્રથમ દિવસે જ સચિવ બન્યા છે. અત્યારે રાજ્યમાં સચિવ કક્ષાએ ફરજ બજાવતા ૩૦ જેટલા સનદી અધિકારીઓમાં તેઓ સૌથી નાની વયના સચિવ છે. તેઓ સૌરાષ્ટ્રમાં અગાઉ રાજકોટમાં પ્રાંત અધિકારી અને જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.
ગુજરાત સરકારે ગઈકાલે ૨૦૦૨ની આઈ.એ.એસ. કેડરના ૩ અધિકારીઓને અધિક સચિવમાંથી સચિવ કક્ષાએ બઢતી આપતા હુકમ કર્યા તેમાં શહેરી વિકાસ કંપનીના એમ.ડી. લોચન સેહરાનો સમાવેશ થાય છે. લોચન સહેરાનો જન્મ તા. ૧ જાન્યુઆરી ૧૯૮૦ના દિવસે થયેલ. ગઈકાલે તેમને જન્મદિને જ બઢતીરૂપે ભેટ મળી છે.
જ્યારે ૨૦૦૫ની બેચના રાજકોટ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે સહિત ૧૪ અધિકારીઓને સિલેકશન ગ્રેડ સાથે અધિક સચિવ કક્ષો બઢતી અપાઇ છે. સિલેકશન ગ્રેડ મેળવનાર અધિકારીઓમાં વિક્રાંત પાંડે, હર્ષદ પટેલ, પી. ભારથી, રણજીતકુમાર જે., કે.ડી. કાપડીયા, કે.એમ. ભીમજીયાણી, ડી.જી. પટેલ, એસ.એમ. પટેલ, આર.જી. ત્રિવેદી, એન.એલ. પુજારા, એચ.કે. પટેલ, વી.એ. વાઘેલા વગેરેનો સમાવેશ થાય છે.