ભાજપ સામે હવે કોળી સમાજે બાંયો ચડાવી, રૂપાણીને અલ્ટીમેટમ કોણે આપી આંદોલનની ચિમકી, જાણો વિગત
બળદેવ સોલંકીએ પોતાના કોળી નેતાઓને પણ ચિમકી આપી છે કે તેઓ કોળી સમાજમાંથી આવતા હોવાને કારણે સરકારમાં તેમને મળી જાય અને તેઓ ચુપ બેસી જશે તો કોળી સમાજ ચલાવી લેશે નહીં, જરૂર પડે કોળી સમાજ પોતાના કોળી નેતાઓ સામે પણ આંદોલન કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબળદેવ સોલંકીએ વધુમાં કહ્યું હતું કે, આ મુદ્દે કોળી સમાજ દ્વાર મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પણ રજુઆત કરી છે અને રૂપાણીએ વધુ કોળી ધારાસભ્યોને મંત્રી બનાવવાની ખાતરી આપી છે, પણ જો તેવું નહીં થાય તો કોળી સમાજ બહુ જલ્દી આંદોલન શરૂ કરશે.
રાષ્ટ્રીય કોળી સમાજના યુવા નેતા અને ભાવનગરના પ્રમુખ બળદેવ સોલંકીએ જણાવ્યું હતું કે, કોળી સમાજના 12 ધારાસભ્યો ચૂંટાણા છે, જ્યારે કોળી અને ઠાકોર સમાજના 15 કરતા વધુ ધારાસભ્યો ચૂંટાયા હોવા છતાં મંત્રી મંડળ માત્ર પુરૂષોત્તમ સોલંકીની જ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમ કોળી સમાજને મંત્રી મંડળમાં અન્યાય થયો છે.
ગુજરાતના કોળી સમાજના ધારાસભ્યોની સંખ્યા વધારે હોવા છતાં કોળી સમાજમાંથી માત્ર એક જ ધારાસભ્યને મંત્રી પદ મળતા હવે કોળી સમાજે રૂપાણીને આંદોલનની ધમકી આપી દીધી છે.
ગાંધીનગર: ખાતાઓની ફાળવણી બાદ નીતિન પટેલ નારાજ થઈ જતાં રાજકિય માહોલ ગરમાયો હતો. ત્રણ દિવસની ચર્ચાની અંતે નીતિન પટેલે પોતાની ઓફિસમાં આવી ચાર્જ સંભાળી લીધો છે પણ હજુ વિજય રૂપાણીની મુશ્કેલીઓ થંભવાનું નામ લેતી ન હોય તેમ લાગી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -