કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને બંગલો ખાલી કરવા કોણે આપી નોટિસ?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી નોટિસ પ્રમાણે આ બંગલાના માલિક પુનિતા શર્માણે ભરતસિંહ સોલંકી સહિત ગુણવંત મકવાણા અને ગોરાંગ પટેલને પણ નોટિસ આપી છે. આ બંન્ને વતી ભરતસિંહ આ બંગલામાં રહેતા હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટિસમાં મકાન ખાલી કરતાં પહેલાં ટેક્સથી લઈને લાઈટ બિલ સુધીના તમામ બિલો ચુકવી આપવા એમ પણ જણાવવામાં આવ્યું છે.
અમદાવાદ થલતેજ વિસ્તારમાં આવેલાં નંદનવન બંગલોઝના 28 નંબરના ઘરે ખાલી કરવા મકાન માલિક પુનિતા શર્માએ નોટિસ આપી છે. પુનિતા શર્માના પુત્ર કુશ શર્માએ જણાવ્યું હતું કે, ભરતસિંહ સોલંકી અમારા ઘરમાં રહે છે અને ભાડા કરાર પુરો થતાં તેમને ઘર ખાલી કરવા જાણ કરવામાં આવી છે. જોકે, હાલ આ નોટિસ મુદ્દે પુનિતા શર્માએ ખુલાસો કર્યો છે. જેમાં તેમને કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું છે.
નંદનવન બંગલોઝમાં રહેલા ભરતસિંહ સોલંકીનો ભાડા કરાર 31-12-2017ના રોજ પૂરો થયો છે અને તેમને 5 જાન્યુઆરી સુધીમાં મકાન ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે, પુનિતા શર્માએ ખુલાસો કર્યો છે કે, અમે ભરતસિંહ સોલંકીને ઘર ખાલી કરવા કોઈ નોટિસ આપી નથી. તેમજ અમારે તેમની સાથે કોઈ તકરાર નથી. જેથી આ લખાણથી અમે જાહેર કરીએ છીએ.
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને તેમનું અમદાવાદ સ્થિત ભાડાનું ઘર ખાલી કરવા મકાન માકિલે નોટિસ આપી હોવાનું જાણવા મળ્યું છે. આ નોટિસ પુનિતા શર્માએ મોકલી છે અને ભાડા કરાર પૂરો થતો હોવાથી પાંચ તારીખ સુધીમાં બંગલો ખાલી કરવા જણાવાયું છે. આ નોટિસ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.