રાજદ્રોહી ઇઝ બેકઃ હાર્દિકને આવકારવા લાગ્યા પોસ્ટરો, બોર્ડર પર કેવી છે તૈયારી? જાણો
17મીએ હાર્દિક ગુજરાત આવવાનો હોય, તેના સ્વાગત અને રેલીના કાર્યક્રમમાં જોડાવવા માટે મોબાઇલ નંબરો આપીને પાસ દ્વારા ખાસ રજિસ્ટ્રેશન પણ શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં હજારો લોકોની નોંધણી થઇ ચૂકી હોવાનું પણ જણાવાયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેશ્મા પટેલે સરકારને ચીમકી આપતાં જણાવ્યું હતું કે, સરકાર પોતાની કૂટ નીતિ મુજબ જો કોઇને રતનપુર આવતા રોકશે અને કોઇ પણ પ્રકારની અડચણ કે નિર્દોષ લોકોને ખલેલ પહોચાડવાની કોશિશ કરશે, તો ભવિષ્યમાં માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
બેઠકમાં હાર્દિકે પણ પાટીદારોને અનામત મળે તે માટે આરપારનો જંગ લડી લેવા તૈયારી રાખવા હાકલ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, અમે અનામત લઇશું એ નક્કી છે અને સરકારે અનામત આપવી પણ પડશે. લાંબા સમય સુધી પાટીદારોએ શાંત રહીને બધું સહન કર્યું છે, પરંતુ હવે આ સ્થિતિ લાંબો સમય નહીં ચલાવાય. સરકારે જે નિયમો બદલવા હોય એ બદલે પણ અનામત આપ્યા વગર પાટીદાર સમાજ શાંત નહીં બેસે.
હાર્દિકે એમ પણ કહ્યું હતું કે, ગુજરાત આગમન અને તે પછીના કાર્યક્રમોમાં અવરોધ ઊભા કરાશે તે પણ અયોગ્ય કહેવાશે. તેણે ઉમેર્યું હતું કે, ફરીથી જેલમાં જવું પડે તો પણ મારી તૈયારી છે પરંતુ આંદોલનનું વ્યવસ્થા તંત્ર એવું ગોઠવાશે કે મારા સહિત મુખ્ય આંદોલનકારીઓને જેલમાં મોકલાશે તો અન્ય નેતાઓ પણ અનામતની લડાઇ ચાલુ રાખશે. મારી જેમ જ બીજા પાંચ હાર્દિક કામ કરતા હોય તે રીતે જ આંદોલન ચાલશે.
હાર્દિકના ગુજરાત આગમનને લઈને સોશિયલ મીડિયા પર જોરશોરથી ઝુંબેશ શરૂ કરાઇ છે. 'રાજદ્રોહી ઇઝ બેક'ના લખાણ સાથે હાર્દિકની તસવીર અને પાટીદારોની તાકાત સરકારને બતાવી દેવા માટે જણાવાયું છે. હાર્દિક પટેલે સરકારને પડકારતા કહ્યું છે કે, આંદોલન હવે ચરમસીમા પર પહોંચશે અને જો અયોગ્ય રીતે અવરોધ ઊભો કરવામાં આવશે તો આખું ગુજરાત ધ્રુજી ઉઠે તે રીતે પ્રતિકાર કરવામાં આવશે.
હાર્દિકના ગુજરાત આગમનથી જ પાટીદાર આંદોલનનો માહોલ ફરીથી જામી જાય તે માટે અનેક સ્થળે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. નોંધનીય છે કે, ઉદયપુર ખાતે હાર્દિક સાથે પાસની કોર કમિટીના સભ્યોએ મીટિંગ કરી હતી. બેઠકની વિગત આપતા વરૂણ પટેલે કહ્યું હતું કે, 17મીએ સવારે 10 વાગે હાર્દિક પટેલનું શામળાજી બોર્ડર પાસે આગમન થશે અને ત્યાંથી રોડ-શો કરી હિંમતનગરમાં બપોરે સભા યોજાશે. જેમાં બે લાખ પાટીદારો આવે, એવી અપેક્ષા છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ આગામી 17 જાન્યુઆરીએ ગુજરાતમાં પ્રવેશ કરવાના છે. તેઓ ગુજરાતમાં પ્રવેશે તે સાથે જ રતનપુર બોર્ડર ખાતે હજારો લોકો ઊમટી પડે અને ભવ્ય સ્વાગત કરે તે માટે પાટીદાર આંદોલનકારીઓ તડામાર તૈયારી કરી રહ્યા છે. હજારોની મેદની સાથે હાર્દિક હિંમતનગરમાં રોડ-શો થકી પ્રવેશ કરીને ત્યાં બે લાખથી વધુ પાટીદાર સમાજના લોકોની સભાને સંબોધન કરશે. તે માટે લોકોને પહોંચવા પાસ દ્વારા આહ્વાન કરાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -