Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
હાર્દિકે કેમ કહ્યું કે, હજારો પોલીસ ઉભી કરીને ભાજપ નપુંસક દેખાડી રહી છે ? જાણો
હાર્દિકે વધુમાં લખ્યું છે કે ભાજપ લોકશાહીની હત્યા કરીને તાનાશાહી પર ઉતારી આવી છે અને પોલિસ ખાતાનો દુરુપયોગ કરી રહી છે. જાગો ગુજરાતની જનતા. પાટીદાર સમાજ આજે એલાન કરે છે કે ગ્રામ્ય વિસ્તાર તથા પાટીદાર સોસાયટી માં ભાજપ ના ધારાસભ્ય માટે 144 ની કલમ જાહેર કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે, તાકાત હોય તો મંજૂરી આપો ને અન્ય સમાજને રેલીની મંજૂરી આપીને રાજ્યમાં વર્ગવિગ્રહ જેવી પરિસ્થિતિ ઉભી કરી રહ્યા છે. જીતુ વાઘાણી અમિત શાહના પગલે ચાલી ને ગુંડાગર્દી શીખી રહ્યા છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ભાવનગરમાં પાટીદાર જનઆક્રોશ રેલીને મંજૂરી ના અપાઈ તે સામે રોષ ઠાલવ્યો છે. હાર્દિકે આક્ષેપ કર્યો છે કે ભાવનગરમાં હજારો પોલીસ ઉભી કરીને ભાજપ નપુંસક દેખાડી રહી છે.
હાર્દિકે વધુમાં લખ્યું છે કે ભાજપ શામ, દામ, દંડ, ભેદ વાપરી રહી છે. પરંતુ સમાજનો રોષ ઠંડો નહિ પડી શકે. આજે પટેલ પર અત્યાચાર થયો છે કાલ ઉઠી ને આ ભાજપ પોતાની સત્તા બચવા નિર્દોષ પર અત્યાચાર ગુજારતા અચકાશે નહિ. પોતાના હક માટે બતાવો તાકાત.
- - - - - - - - - Advertisement - - - - - - - - -