✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકનો હુંકારઃ અમારી માંગ 50 ટકાની અંદર 27 ટકા ઓબીસીમાં પાટીદારોને અનામતની છે અને રહેશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Dec 2016 11:41 AM (IST)
1

તેમણે એમ પણ કહ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) અમને ફોર્મ્યુલા આપે અને તે અંગે અમે વિચારીશું. પાસના કન્વિનર હાર્દિક પટેલે નીતિન પટેલને જવાબ આપતાં સવાલ કર્યો છે કે, શું આપ એટલા સક્ષમ છો કે અમારા તરફથી આપેલી ફોર્મ્યુલા અપનાવશો?

2

ગાંધીનગરઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે પત્રકાર પરિષદ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતાઓ સાથેની મંત્રણા અંગે નિવેદન કર્યાં હતાં. તેમણે દાવો કર્યો કે પાસ દ્વારા અન્ય રાજ્યોમાં 49 ટકાથી વધુ અનામત છે તેના પુરાવા રજૂ કરાયા નથી.

3

હાર્દિકે એમ પણ લખ્યું છે કે માનનીય નિતીનભાઇ તરફથી વારંવાર એવુ કહેવામાં આવ્યું કે તમામ મુદ્દાઓ વિચારણા હેઠળ છે. પરંતુ આ બાબતે હું એટલું ચોક્કસ કહીશ કે છેલ્લા દોઢ વર્ષથી અનામત આંદોલન દરમ્યાન આપના તરફથી હજુ સુધી આ મુદ્દાઓની વિચારણા નથી થઈ.

4

હાર્દિકે એમ પણ કહ્યું છે કે જો આપ સક્ષમ હોય તો અમે થોડા જ દિવસમાં તે ફોર્મ્યુલા તમને આપીશું પરંતુ અમારી માંગ ૫૦ ટકાની અંદર ૨૭ ટકા ઓબીસીમાં છે તો પછી એમાં કોઈ પુરાવા ની જરૂર નથી. અમારી માગ ઓબીસી માટેની છે અને રહેશે.

5

હાર્દિકે એમ પણ કહ્યું છે કે ગુજરાત સરકાર જયારે કહેશે ત્યારે તમામ દસ્તાવેજો સાથે અમારા 11 સભ્યોની ટીમ સાથે એક વ્યક્તિને મોકલીશું. કઈ રીતે પાટીદાર સમાજ ને અનામત મળે તેની ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ. આપ દ્વારા જ્યારે પણ કહેવામાં આવશે ત્યારે અમે મિટીંગ કરવા તૈયાર છીએ.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિકનો હુંકારઃ અમારી માંગ 50 ટકાની અંદર 27 ટકા ઓબીસીમાં પાટીદારોને અનામતની છે અને રહેશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.