✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકનો મેસેજ વાયરલઃ પાટીદારો માતાનું ધાવણ ન લજવતા, સુરતમાંથી જનરલ ડાયરને ભગાડજો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Sep 2016 03:08 PM (IST)
1

મેસેજના અંતમાં અપીલ કરાઈ છે કે પાટીદાર યુવાનો ધ્યાન રાખે કે પોતાની માતાનું ધાવણ લાજે નહીં. સન્માન સમારોહને સફળ બનાવવા પાટીદાર અભિવાદન સમિતિએ એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે આ મેસેજથી ગરમાવો આવી ગયો છે.

2

હાર્દિકે લખ્યું છે કે પોતાની ચાર ફાઈલો પાસ કરાવવા માટે મહેશ અને મુકેશ સમાજને વેચવા નીકળ્યા છે. તેથી આવા લોકોને પાટીદારોએ પાવર બતાવવો પડે. સુરતના યુવાનો, માતા-બહેનો જનરલ ડાયરને ઓકાત દેખાડે તે સમય આવી ગયો છે.

3

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં અમિત શાહને જનરલ ડાયર સાથે સરખાવી હાર્દિકે આ કાર્યક્રમના આયોજક મહેશ સવાણી તથા મુકેશ પટેલને પણ આડે હાથ લીધા છે. મહેશ સવાણી અને મુકેશ પટેલને તેણે ભાજપના ચમચા ગણાવ્યા છે.

4

પાસના કન્વીનર હાર્દિક પટેલે પાટીદાર સમાજને અપીલ કરી છે કે જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા અત્યાચાર માટે જવાબદાર જનરલ ડાયરને થાળી-વેલણ વગાડીને ઉપયોગથી સુરતમાંથી ભગાડવામાં આવે.

5

સુરતમાં 8 સપ્ટેમ્બરે યોજાનારા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, પાટીદાર ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રી તથાપ્રદેશ પ્રમુખના સન્માન સમારંભ સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)એ મોરચો માંડ્યો છે.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિકનો મેસેજ વાયરલઃ પાટીદારો માતાનું ધાવણ ન લજવતા, સુરતમાંથી જનરલ ડાયરને ભગાડજો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.