ઉપવાસ આંદોલનના ચોથા દિવસે મેડિકલ તપાસ બાદ તબીબોએ હાર્દિકને શું આપી સલાહ, જાણો વિગત
રાજસ્થાનના ગુર્જર આંદોલનના હર્તાકર્તા હિંમતસિંહ ગુર્જર પણ હાર્દિકના સમર્થનમાં આજે ઉપવાસ સ્થળે આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકના ઉપવાસના સમર્થનમાં એનસીપીના પ્રફૂલ પટેલ તેના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. તેમણે સરકારને આડેહાથ લઈ જણાવ્યું હતું કે, 2017ની ચૂંટણીમાં ગોળી સરકારના કાન પાસેથી નીકળી ગઈ છતાં સમજી નથી. હાર્દિક પટેલની માંગણી મુદ્દે સરકારે વાતચીત કરવી જોઈએ.
મેડિકલ તપાસ દરમિયાન હાર્દિકનું રેન્ડમ બ્લડ સુગર 99 આવ્યું હતું. તેને 78 પલ્સ ,120/84 બ્લડ પ્રેસર છે, જ્યારે વજન 74.6 કિગ્રા છે. યુરિન ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેને લિક્વિડ વધારે લેવાની સલાહ આપવામાં આવી હતી.
અમદાવાદઃ પાસ કન્વિર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ચોથો દિવસ છે. વિવિધ માંગણીઓને લઈ શનિવાર, તા. 25 ઓગસ્ટથી ઉપવાસ પર બેઠેલા હાર્દિકના વજનમાં અત્યાર સુધીમાં એક કિલોનો ઘટાડો થયો છે. તબીબોએ આજે હાર્દિકની મેડિકલ તપાસ કરી તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે.
સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા હાર્દિકની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ ડોક્ટરે કહ્યું કે, જો હાર્દિક ફ્રૂટ કે જ્યુસ નહીં લે તો તેની કિડનીને નુકસાન થઈ શકે છે. યુરિનના સેમ્પલને આધારે ડોક્ટરે તેને હોસ્પિટલાઈઝ્ડ થવાની સલાહ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -