✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે, શું છે આંદોલનની રણનીતિ? ક્યાંથી ફરી ધમધમશે આંદોલન? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jan 2017 12:58 PM (IST)
1

આગામી 27 તારીખથી હાર્દિક પટેલ સહિત પાસ કન્વીનરો પાટણમાં ધામા નાંખવાના છે. પાટણ સહિત આસપાસના વિસ્તારોના લોકો અને ગ્રામજનોને હાર્દિક મળશે. હાર્દિક આંદોલન વિશે લોકોને જાગૃત કરશે, તેમ પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું.

2

ત્યારબાદ પાસ કન્વીનર લલિત વસોયાને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાનો છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા પછી હાર્દિક પટેલ શહિદોના પરિવારજનોને મળશે. આ સાથે પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ પાસની આગામી રણનીતિન પણ જાહેરાત કરી છે. આંદોલન પાર્ટ-3નું રણસિંગુ ઉત્તર ગુજરાતથી ફૂંકવામાં આવશે, તેવું હાર્દિકે જણાવ્યું છે.

3

અમદાવાદઃ છ મહિના ગુજરાત બહાર રહ્યા પછી હવે હાર્દિક પટેલ ગુજરાત પરત ફર્યો છે, ત્યારે આજે હાર્દિક પટેલ આજે સુરત ક્રાઇમ બ્રાંચમાં હાજરી આપવા માટે ગયો હતો. જ્યાં તેણે આવતી કાલે ખોડલધામ જવાનો પ્રયાસ કરશે, તેમ જણાવ્યું હતું. ત્યારે હવે હાર્દિક પટેલના સૌરાષ્ટ્ર પ્રવાસની વિગતો આવી ગઈ છે. સાથે જ પાટીદાર આંદોલનની નવી રણનીતિ પણ સામે આવી છે.

4

પાસ કન્વીનર હાર્દિક પટેલ આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આજે સાંજે હાર્દિક જસદણના કમલાપુર ગામ પહોંચશે. જ્યાં દિનેશ બાંભણિયાના ઘરે રાત્રિ રોકાણ કરશે. આ પછી હાર્દિક આવતી કાલે સવારે સુરેન્દ્રનગરના લખતર જશે, જ્યાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં આપશે હાજરી આપશે.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિક આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે, શું છે આંદોલનની રણનીતિ? ક્યાંથી ફરી ધમધમશે આંદોલન? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.