✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકના ઉપવાસ સ્થળની મંજૂરી ન મળતા પાસ કાર્યકર્તાઓ કેવી કરશે ઉપવાસ? જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Aug 2018 06:17 PM (IST)
1

અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા આ સ્થળે 'ફ્રી પાર્કિંગ પ્લોટ'ના બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્થળની મંજૂરી મળે તે માટે હાર્દિકે હાઇ કોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

2

અમદાવાદ: 'પાટીદાર અનામત આંદોલન સમિતિ' (પાસ) ના કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ આંદોલન માટે સ્થળની પરવાનગી આપવામાં આવી નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઉપવાસ આંદોલન માટે સ્થળની મંજૂરીને લઈને પાસના કાર્યકર્તાઓ 19 ઓગસ્ટે રવિવારે 11 વાગ્યે અમદાવાદના નિકોલ ખાતે પોતાની ગાડી અને બાઈક પર બેસીને એક દિવસીય પ્રતીક ઉપવાસ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સાથે પાસના કાર્યકર્તાએ કહ્યું કે, સ્થળની મંજૂરીને લઈને તંત્ર દ્વારા તાનાશાહી કરવામાં આવી રહી છે.

3

ઉલ્લેખનીય છે કે, હાર્દિક દ્વારા 25 ઓગસ્ટના રોજ અમદાવાદથી આમરણાંત ઉપવાસ શરૂ કરવાનું આયોજન છે. આ માટે તેણે મોટી સંખ્યામાં હાજર રહેવા પાટીદાર યુવકોને હાંકલ કરી હતી. જેના માટે નિકોલમાં જે મેદાન માંગ્યું હતું તેને કોર્પોરેશને ફ્રી પાર્કિગ પ્લોટ જાહેર કરી દીધું છે. એટલા માટે હવે હાર્દિક પટેલના ઉપવાસનો કાર્યક્રમ અટવાયો છે.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિકના ઉપવાસ સ્થળની મંજૂરી ન મળતા પાસ કાર્યકર્તાઓ કેવી કરશે ઉપવાસ? જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.