બિનજામીનપાત્ર વોરંટ નીકળતાં હાર્દિક થયો વીસનગરમાં હાજર, જાણો કોર્ટે શું આપ્યો આદેશ ?
પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગર એક એપી સેન્ટર હતું. હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહિતના કેટલાક પાટીદાર નેતાઓ વિરુદ્ધ એ સમયે વોરન્ટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું કે જ્યારે ચૂંટણી કમિશન દ્વારા ગુજરાતમાં થનારી આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂલાઇ 2015માં પાટીદાર અનામત સમિતિની રેલી દરમિયાન થયેલી બબાલમાં ભાજપના ધારાસભ્ય ઋિષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી હતી. આ ઉપરાંત 2016માં આ જ ધારાસભ્યની કાર પર વિસનગરમાં આઈટીઆઈ સર્કલ પાસે પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.
વીસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના હાર્દિક પટેલ તથા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલ સામે કેસ નોંધાયો છે. આ કેસમાં સળંગ ત્રણ મુદતથી હાર્દિક તથા લાલજી પટેલ હાજર ના રહ્યા હોવાથી તેમની સામે કોર્ટે વોરંટ બહાર પાડ્યું હતું.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે ત્યારે જ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના હાર્દિક પટેલ તથા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ નિકળતાં ચકચાર મચી ગઈ હતી.
ઉત્તર ગુજરાતના વિસનગરમાં હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે નોંધાયેલા ગુનામાં બીનજામીન લાયક વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. આ વોરંટના આધારે પોલીસ તેમની ગમે ત્યારે ધરપકડ કરી શકે પણ એ પહેલાં હાર્દિક પટેલ આજે વિસનગર કોર્ટમાં હાજર થઈ જતાં કોર્ટે તેને જામીન આપી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -