અમદાવાદઃ યુવતી સાથે પ્રેમલગ્નનો કરાર કરી અઢી વર્ષ સુધી રાખ્યા સેક્સસંબંધ, યુવક પરણીત નીકળતાં શું થયું?
સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી પાસેથી પ્રેમલગ્નનો કરાર કરેલો તે તેની પાસેથી કબ્જે લેવાનો છે. તેણે યુવતીનું ખોટું નામ બતાવી ગર્ભપાત કરાવ્યો હતો, તેની તપાસ પણ કરવાની હોવાથી ગંભીર પ્રકારનો ગુનો કરનાર આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરવો ના જોઇએ.
આ અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, આરોપી પરિણીત હોવાં છતાં યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને અઢી વર્ષથી યુવતીને વિવિધ ગેસ્ટ હાઉસમાં લઇ જઇ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.
જોકે, પ્રેમલગ્નના કરાર પછી યુવતીને ગૌરાંગ પરિણીત હોવાની જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ પછી તેણે નરોડા પોલીસ સ્ટેશનમાં ગૌરાંગ સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. આ સાથે તેણે લગ્ન ન કરીને છેતરપિંડી કરી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. જે કેસમાં ગૌરાંગે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
લગ્ન પહેલાં પણ ગૌરાંગે યુવતી સાથે પરાણે સેક્સસંબંધ રાખ્યા હતા, જેના કારણે યુવતી ગર્ભવતી બની ગઈ હતી. યુવતીને ગર્ભ રહી જતાં ગૌરાંગે 1 માર્ચ 2016માં નરોડાની ખાનગી હોસ્પિટલમાં ખોટા નામે દાખલ કરી ગર્ભપાત કરાવ્યો હતો. આ પછી યુવતીએ લગ્નની જીદ્દ લેતા પ્રેમલગ્નનો કરાર કર્યો હતો.
ગૌરાંગે યુવતીને પોતે અપરણીત હોવાનું જણાવીને પ્રેમજાળમાં ફસાવી હતી અને યુવતીએ લગ્ન માટે દબાણ કરતાં તેની સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. 100ના સ્ટેમ્પ પેપર પર લગ્નનો કરાર કર્યા પછી યુવતીને વિવિધ સ્થળે લઇ જઇ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતો હતો.
અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી ત્રણ વર્ષ પહેલા ગૌરાંગ પ્રજાપતિના સંપર્કમાં આવી હતી. આ પછી બંને પ્રેમમાં પડ્યા હતા અને આ પછી પ્રેમલગ્ન કરી લીધા હતા. અઢી વર્ષના આ સંબંધ દરમિયાન ગૌરાંગે યુવતીને અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઈ જઈને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, ગૌરાંગે પોતે પરણીત હોવાની વાત છૂપાવી હતી.