અમદાવાદઃ બીબી તળાવમાં યુવકનો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ધડાકો?

અમદાવાદ: રામોલમાં એક યુવકે શહેરના બીબી તળાવમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ યુવકનું નામ સંજીવ ક્રિશ્ચિયન(ઉ.વ.40) હોવાનું સામે આવ્યું છે. જે રામોલમાં નમ્ર ફ્લેટમાં રહે છે. પોલીસને તેની પાસેથી સૂસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેણે પોતાના મોત પાછળનું કારણ જણાવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે, રામલોમાં નમ્ર ફ્લેટમાં રેહતા 40 વર્ષીય સંજીવ ક્રિશ્ચયને બીબી તળાવમાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું છે. પોલીસને મળેલી સુસાઈડ નોટમાં પત્ની સાથેના ઝઘડા અને સાસરિયાના ત્રાસનો ઉલ્લેખ કરીને બધાને સજા કરાવવાની અપીલ કરી છે. રામોલ પોલીસે હાલ આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સુસાઈડ નોટમાં તેમણે લખ્યું છે કે, 'હું સંજીવ મને મારા ઘરમાં મારી પત્ની સીલ્વેનીયા સીમરન, તેનો ભાઈ લોરેન્સ, તેના પિતા મોજીસ રોઝલીન, માતા મીતાબેન આ બધા લોકો થઈને મને વર્ષોથી માનસિક ત્રાસ આપે છે. મારા ઘરમાં ઝઘડા કરાવે બધા ભેગા થઈને મને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. તેથી હું કંટાળીને પોતે જ એ લોકોના લીધે મરી જઉ છું. મારા મોતની પાછળ આ બધા જવાબદાર છે. બધાને સજા થવી જોઈએ'