✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજથી નવરાત્રિનો પ્રારંભ, આ વખતે આવશે બે છઠ, વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતિત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Oct 2018 07:39 PM (IST)
1

નવરાત્રિના પ્રારંભે બીજનો ક્ષય છે. ઘટ સ્થાપનના શુભ મુહૂર્ત સવારે 6.18 મિનિટથી 10.11 મિનિટ સુધી, કળશ સ્થાપના સવારે 6.18 મિનિટથી લઈનવે 7.56 મિનિટ સુધીમાં કરી શકાશે.

2

આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન અનેક વિશેષ શુભ યોગોનો સંયોગ થઈ રહ્યો છે. જેમ કે આ વર્ષે નવરાત્રિ દરમિયાન રાજયોગ, દ્વિપુષ્કરયોગ, અમૃતયોગ, સર્વાર્થસિદ્ધિ યોગ અને સિદ્ધિયોગનો સંયોગ પણ બન્યો છે. આ યોગમાં જ આ વર્ષે વિશષેષ ખરીદીઓ જોવા મળશે.

3

આ વખતે નવરાત્રિ બુધવારે ચિત્રા નક્ષત્રમાં શરૂ થઈ કરહી છે. જ્યારે નોમના દિવસે શ્રવણ નક્ષત્ર હશે. આ દિવસે ધ્વજા યોગ બન્યો છે. તે એક વિશેષ યોગ છે. અદભૂત સફળતાનો સંકેત આપે છે.

4

અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો બુધવાર તા.10 ઓક્ટોબર, 2018થી પ્રારંભ થઈ રહ્યો છે. ચાલુ વર્ષે અધિક માસને કારણે નવરાત્રિ 20 દિવસ મોડી આવી રહી છે. આ વર્ષે નવરાત્રિમાં આ સિવાય બીજની ક્ષયતિથિ, છઠ્ઠની વૃદ્ધિતિથિ અને નોમ-દશેરાના સંયોગ સાથે પર્વની ઉજવણીનો ઉન્માદ જોવા મળશે. આ વખતે બે છઠ છે. તેથી આ વખતે ખેલૈયાઓને રમવા માટે એક નોરતું ઓછું મળશે. આ ઉપરાંત આ વખતે નવરાત્રિમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, તેથી ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.

  • હોમ
  • અમદાવાદ
  • આજથી નવરાત્રિનો પ્રારંભ, આ વખતે આવશે બે છઠ, વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતિત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.