હવે LLB કરવા માટે પણ વયમર્યાદા નક્કી કરાઈ, જાણો કોને નહીં મળે LLBમાં એડમિશન
યુનિવર્સિટી દ્વારા હાલ તમામ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની મંજુરી આપી છે. 12મીથી 24મી સુધી પીનવિતરણ અને 15મીથી ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 28 વર્ષથી મોટી ઉમરના તમામ વ્યકિતઓએ અંડરટેકિંગ સાથે ફોર્મ ભરવાનું રહેશે.
સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે. જેના કારણે યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયામાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઓનલાઇન રજિસ્ટ્રેશન કરતાં દરેક વ્યકિત પૈકી જેઓની વયમર્યાદા 30 વર્ષ ઉપર છે તેઓએ એવી બાંયેધરી આપવી પડશે કે મારી ઉમર ૩૦ વર્ષથી વધારે હોવા છતાં પ્રવેશ માટે ફોર્મ ભર્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા જે આખરી ચુકાદો આપવામાં આવશે તેને માન્ય ગણવાનો રહેશે.
જો સુપ્રીમ કોર્ટના આખરી ચુકાદા બાદ પ્રવેશ રદ કરવામાં આવે તો કોલેજ કે યુનિવર્સિટી પર કોઇ દાવો કરવાનો રહેશે નહી તેવી સ્પષ્ટતા પણ કરવાની રહેશે. આમ, હાલની પરિસ્થિતિ પ્રમાણે જ નિર્ણય યથાવત રહે તે 28 વર્ષથી ઉપરની વયમર્યાદા ધરાવતાં કોઇ વ્યકિત LLB કરી શકે તેમ નથી.
LLBમાં પ્રવેશ માટે વયમર્યાદા કેટલી હોવી જોઇએ તે મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બાર કાઉન્સિલ દ્વારા એલએલબીમાં પ્રવેશ માટે 28 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. પરંતુ આ નિર્ણય સામે હાલમાં કોર્ટમાં અરજી થઇ છે.
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી LLBની 12 જેટલી કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષે 30 વર્ષથી ઉપરની ઉમર ધરાવતાં વ્યકિત પૈકી કોઇ LLB કરવા ઇચ્છતાં હોય તેમને શરતી પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. એટલે કે આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ આ પ્રવેશ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન રહેશે તેવી સ્પષ્ટતાં પણ કરવામાં આવી છે.