✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદીઓને ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા મહેનત નહી કરવી પડે, જાણો કેમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jan 2019 09:22 AM (IST)
1

આવતીકાલે સોમવારે ઉત્તરાયણ છે જેની અમદાવાદીઓ ભરપૂર મજા માણશે. આ વખતે ઉત્તરાયણમાં સાનુકુળ પવન રહેવાની સંભાવના છે. અમદાવાદમાં શનિવાર સાંજથી જ પતંગનો માહોલ જામ્યો હતો. પતંગબાજો આ વખતે સતત ચાર દિવસ પતંગ ચગાવવાનો આનંદ માણી શકશે.

2

તેની અસર તળે પવનની ગતિ સારી રહેશે. જેથી પતંગ રસિયાઓને પતંગ ચગાવવાની મઝા પડી જશે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પવન સારો રહેવાના કારણે પતંગ સહેલાઈથી આકાશની ઉડી શકશે. તેમજ રાજ્યભરમાં આકાશ વાદળછાયું રહેશે.

3

હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે ઉત્તરાયણમાં પવનની સારો રહેશે. આ વર્ષે ઉત્તરાયણના રોજ પવનની ઝડપ 20થી 25 કિલોમીટર રહેશે. આ દિવસો દરમિયાન દક્ષિણ-પિૃમ રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય બનશે.

4

અમદાવાદવાસીઓ જેની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ઉત્તરાયણનો તહેવારને માત્ર એક જ દિવસ જ બાકી રહ્યો છે. સમગ્ર ગુજરાત સહિત દેશ અને દુનિયામાં અમદાવાદની ઉત્તરાયણની ચર્ચા રહેતી હોય છે. આ વખતની ઉત્તરાયણ પર પવનની રહેશે કે નહીં? આ પ્રશ્ન ગુજરાતીઓને દર વર્ષે સતાવતો હોય છે. તેની સામે હવામાન વિભાગે શુકનવંતી આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે ઉત્તરાયણ પર પવન સારો રહેશે અને પતંગ રસિયાઓને ઠુમકા મારવા પડશે નહીં.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદીઓને ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા મહેનત નહી કરવી પડે, જાણો કેમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.