ફિલ્મ પદ્માવતના વિરોધમાં બાવળા-બગોદરા હાઇવે ચક્કાજામ, ટાયરો સળગાવાયાં
‘પદ્માવત’ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રાજપૂત કરણી સેનાના એક સભ્યે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દુઃખદ છે. અમે ફિલ્મની રિલીઝ સામે અમારો વિરોધ ચાલુ રાખીશું. અમે દિલ્હીના રામલીલા મેદાનમાં પણ વિશાળ વિરોધ પ્રદર્શન કરીશું.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્ષત્રીય સમાજના કેટલાક લોકોએ ફિલ્મ ‘પદ્માવત’ને રિલીઝ કરવાના નિર્ણયના વિરોધમાં બાવળા-બગોદરા હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રકટ કર્યો હતો. અહીં લોકોએ ટાયરો સળગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
અમદાવાદ: ‘પદ્માવત’ દેશભરમાં આ ફિલ્મનો વિરોધ યથાવત્ છે. અમદાવાદમાં ફરી એક વાર ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે. બાવળા-બગોદરા હાઈવે પર ફિલ્મના વિરોધમાં ક્ષત્રીય સમાજના કેટલાક લોકોએ ચક્કાજામ કરી ટાયરો સળગાવ્યાં હતાં. ઉગ્ર વિરોધને પગલે સ્થિતિ વણસે નહિ તે માટે પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -