✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રૂપાણી સરકારે નિમ્યા જિલ્લા પ્રભારી, જાણો ક્યા મંત્રીને સોંપાયો ક્યો જિલ્લો ? ક્યા એક પ્રધાનને પ્રભારીના બદલે સહપ્રભારી બનાવાયા ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jan 2018 12:59 PM (IST)
રૂપાણી સરકારે નિમ્યા જિલ્લા પ્રભારી, જાણો ક્યા મંત્રીને સોંપાયો ક્યો જિલ્લો ? ક્યા એક પ્રધાનને પ્રભારીના બદલે સહપ્રભારી બનાવાયા ?
1

અમદાવાદઃ ગુજરાતના જિલ્લાઓની વહીવટી કામગીરી સારી રીતે થાય, ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે તે માટે વિજય રૂપાણીની સરકાર દ્વારા ગુજરાત સરકારના મંત્રીઓને જવાબદારી સુપરત કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી,સહપ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

2

આ મંત્રીઓ સમયાંતરે જિલ્લાઓની મુલાકાત લઈ વહીવટી પ્રશ્નોથી વાકેફ થશે અને તેના નિકાલ માટે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપશે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ અંગેનો જાહેર પરિપત્ર કર્યો છે. સરકારે તમામ 18 મંત્રીને પ્રભારી બનાવ્યા છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે નીતિન પટેલ (નાયમ મુખ્યમંત્રી)- વડોદરા, ખેડા જિલ્લાના પ્રભારી રહેશે જ્યારે કૃષિ મંત્રી આર.સી. ફળદુ અમદાવાદ, અમરેલી જિલ્લાના પ્રભારી રહેશે.

3

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રાજકોટ અને ભાવનગર જિલ્લાના પ્રભારી રહેશે જ્યારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સુરત અને તાપી જિલ્લાના પ્રભારી રહેશે.

4

ઉર્જા મંત્રી સૌરભ પટેલ જામનગર અને મોરબી જિલ્લાના પ્રભારી રહેશે. આદિજાતી વિકાસ મંત્રી ગણપત વસાવા દાહોદ અને નવસારી જિલ્લાના પ્રભારી રહેશે. જયેશ રાદડિયા જૂનાગઢ, ગીરસોમનાથ જિલ્લાના પ્રભારી રહેશે.

5

આ ઉપરાંત દિલીપ ઠાકોર કચ્છ, ઈશ્વર પરમાર બનાસકાંઠા, પ્રદીપસિંહ જાડેજા ભરૂચ અને પંચમહાલ તેમજ પરબત પટેલ સાબરકાંઠા તથા ગાંધીનગર જિલ્લાના પ્રભારી રહેશે.

6

બચુ ખાબડ નર્મદા અને છોટાઉદેપુર, જયદ્રથસિંહ પરમાર આણંદ અને મહિસાગર, ઈશ્વરસિંહ પટેલ સુરેન્દ્રનગર તથા બોટાદ અને વાસણ આહીર પાટણ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી રહેશે.

7

વિભાવરીબહેન દવેને મહેસાણા જિલ્લાના પ્રભારી બનાવાયાં છે જ્યારે રમણ પાટકરને અરવલ્લી તથા ડાંગ જિલ્લાના પ્રભારી બનાવાયાય છે. કિશોર કાનાણી વલસાડ, પોરબંદર જિલ્લાના પ્રભારી રહેશે.

8

રસપ્રદ વાત એ છે કે, રાજ્યના મંત્રીમંડળમાંથી એક માત્ર પરસોત્તમ સોલંકીને સહપ્રભારી બનાવાયા છે. સોલંકીને સુરેન્દ્રનગર જિલ્લાના સહપ્રભારી બનાવાયા છે. પોતાને મળેલા ખાતાના મુદ્દે અસંતોષ પ્રગટ કરનારા સોલંકી આ મામલે શું કરે છે તે જોવાનું રહે છે.

  • હોમ
  • અમદાવાદ
  • રૂપાણી સરકારે નિમ્યા જિલ્લા પ્રભારી, જાણો ક્યા મંત્રીને સોંપાયો ક્યો જિલ્લો ? ક્યા એક પ્રધાનને પ્રભારીના બદલે સહપ્રભારી બનાવાયા ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.