✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકના ઉપવાસને લઈ તેના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, અનેક જિલ્લામાં લાગુ કરવામાં આવી કલમ 144

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Aug 2018 07:42 AM (IST)
1

આજથી શરૂ થઈ રહેલા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ હાજર રહેશે તેવો દાવો પાસના કન્વિનર હાર્દિક પટેલે કર્યો છે. ઉપવાસ પહેલા મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે 25મી તારીખથી તે પોતાના ઘરે જ ઉપવાસ કરશે. રામોલ કેસમાં ધરપકડ થશે તો તે જેલમાં ઉપવાસ કરશે અને અન્ય લોકો પોતાના ઘરે અને તાલુકા મથકે ઉપવાસ કરશે. સાથે જ હાર્દિકે એવો દાવો કર્યો છે કે તેના ઉપવાસ આંદોલનમાં રાષ્ટ્રીય નેતાઓ પણ જોડાશે.

2

હાર્દિકે ઉપવાસ પર બેસવાને લઈ કહ્યું કે, સરકારે મને પરવાનગી નથી આપી તે મારા માટે નહીં પણ સરકાર માટે શરમજનક વાત છે. હું આવતીકાલે મારા નિવાસસ્થાને ઉપવાસ ઉપર બેસવાનો છુ, આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ ખેડૂતો અને અન્યાય સહન કરનાર લોકોની લડાઈ છે. મને મકાન ભાડે આપનાર વ્યક્તિને બોલાવીને પોલીસ દબાણ કરી રહી છે અને બે-બે વખત ભાડા કરાર મંગાવવામાં આવ્યો છે, આમ છતાં મારી લડાઈ ચાલુ રહેશે.

3

અમદાવાદઃ હાર્દિક પટેલના આજથી શરૂ થઈ રહેલા આમરણાંત ઉપવાસના પગલે ગ્રીનવુડ રિસોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. હાર્દિકના ઘરની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાતભરના લોકો અત્યારથી જ હાર્દિકના ઘરે પહોંચવા લાગ્યા છે. સમગ્ર રાજ્યભરમાં સલામતિ અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગું કરી દેવાઈ છે. હાર્દિકના આમરણાંત ઉપવાસને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત એક્શન પ્લાન બનાવ્યો છે.

4

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે 3 SRPની ટુકડી તૈનાત કરવામાં આવી છે. સાથે 3 DCP ,8 ACP, 35 PI , 200 PSI અને 3000 પોલીસ જવાનો રહેશે તૈનાત રહેશે. આ સિવાય સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર પણ પોલીસ નજર રાખશે. તોફાન કરનારા સામે પોલીસ સખત કાર્યવાહી કરશે. તકેદારીના ભાગરૂપે હાર્દિકની ગમે ત્યારે અટકાયત પણ થઇ શકે છે.

5

હાર્દિકે કહ્યું હતું કે તેણે આ માટે નેતાઓ સાથે ઔપચારિક વાત કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, કોંગ્રેસના નેતા રાજ બબ્બર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપવાસ આંદોલનમાં જોડાશે તેવો દાવો હાર્દિક પટેલે કર્યો છે.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિકના ઉપવાસને લઈ તેના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, અનેક જિલ્લામાં લાગુ કરવામાં આવી કલમ 144
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.