દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલ અને રાહુલ સામે શું ઉઠાવ્યા સવાલ? જાણો
બાંભણિયાએ કહ્યું, હાર્દિક કોંગ્રેસનો હાથો કેમ બની રહ્યો છે ? બોટાદ ના કાર્યક્ર્મ માટે NCPએ 81 લાખ આપ્યા હતા એ કાર્યક્ર્મ ના થયો એટલે એ શહીદ પરિવારો ને આપવાનું નક્કી થયું હતું પણ એ હજુ નથી આપવામાં આવ્યા.
શહીદ પરિવનારના મળેલા દાન અંગે પણ બાંભણિયાએ સવાલો ઉઠાવ્યા હતા કે શહીદ પરિવાર માટે 81 લાખ નું દાન મળ્યું છે એ ક્યાં ગયું અને કેમ શહિદ પરિવાર ને મળ્યું નથી ?
દિનેશ બાંભણિયાએ કહ્યું રાહુલ ગાંધી સાથે હાર્દિક પટેલે ત્રણ વખત અંગત મુલાકાત કરી છે. હાર્દિકે રોબર્ટ વાડરા સાથે પણ મુલાકાત કરી છે. આજ થી 4 મહિના પહેલા હાર્દિકની રોબર્ટ વાડરા સાથે મુલાકાત થઈ હતી. બાંભણિયાએ સવાલ ઉઠાવ્યા છે કે આવી સ્થિતિ શુ કામ ? હાર્દિક કહે છે કે મને કોંગ્રેસ ગમતી નથી તો કઈ મજબૂરી છે.
કોંગ્રેસે પાટીદાર સમાજ સાથે મોટો અન્યાય કર્યો છે. હાર્દિક ખુલાસો કરે ભાજપના અન્યાય અને અત્યાચાર સામે કોંગ્રેસ કયા સન્માન આપવાની વાત કરે છે ?
દિનેશ બાંભણિયાએ કહ્યું, રાહુલ ગાંધી જે ઘણા સમયથી ગુજરાત પ્રવાસ દરમિયાન હોઈ કોઈ શહીદ પાટીદાર પરિવારની મુલાકાત લીધી નથી. અમારી રજૂઆતો છતાં રાહુલ ગાંધી નથી આવ્યા.
અમદાવાદ: દિનેશ બાંભણિયાએ કૉંગ્રેસ સામે સવાલો ઉઠાવ્યા છે. દિનેશ બાંભણિયાએ કહ્યું ગુજરાત કોંગ્રેસ દ્વારા જે આધારે અનામત લાવવાની વાત ભરતસિંહ સોલંકીએ કરી તે વાહિયાત છે.