રેશમા પટેલ અને વરૂણ પટેલ ભાજપ જોડાવા અંગે હાર્દિક પટેલે શું કહ્યું? જાણો વિગતે
વધુમાં હાર્દિકે જણાવ્યું હતું કે, બે ત્રણ લોકોના જવાથી આંદોલનને કોઈ ફેર નહીં પડે. રેશમા અને વરૂણ પટેલ ભાજપના એજન્ટ છે. જોકે રેશમા અને વરૂણ પટેલ ભાજપમાં જોડાતા પાટીદારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ પૂતળા દહન કરવામાં આવ્યું હતું.
ભાજપે પાટીદારોને ખરીદવા બજેટ ફાળવ્યું છે. પાટીદારોને ટેકાના ભાવે ખરીદવામાં આવી રહ્યા છે. ભાજપ હજુ પાસના કેટલાક લોકોને ખરીદશે પણ આનાથી આંદોલનને કોઈ ફેર નહીં પડે.
આ અંગે હાર્દિક પટેલે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી જેમાં કહ્યું હતું કે ઓલ ધ બેસ્ટ, ખૂબ જ પ્રગતિ કરો પરંતુ જ્યાં પણ રહો ત્યાં સમાજ હિતમાં કામ કરો તેવી મારી ઈચ્છા છે.
આ અંગે હાર્દિક પટેલે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી જેમાં કહ્યું હતું કે ઓલ ધ બેસ્ટ, ખૂબ જ પ્રગતિ કરો પરંતુ જ્યાં પણ રહો ત્યાં સમાજ હિતમાં કામ કરો તેવી મારી ઈચ્છા છે.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગરવામ વધતો જાય છે. જેમાં શનિવારે ભાજપે પાટીદારો, કોંગ્રેસ સહિતના પક્ષોને મોટો ઝટકો આપ્યો હતો. ચૂંટણી પહેલા હાર્દિક પટેલની ટીમમાં પંક્ચર પડી ગયું છે. હાર્દિકના સૌથી નજીક ગણાતા વરૂણ પટેલ અને રેશમા પટેલ બંન્નેએ ભાજપનો કેસ પહેરવાની જાહેરાત કરી હતી. જેના કારણે પાટીદારોમાં રોષની લાગણી જોવા મળી હતી.