અમદાવાદઃ પતિએ સગીર પત્ની સાથે માણ્યું સેક્સ, પત્નીએ કરી ફરિયાદ, પછી શું થયું?

અમદાવાદ: શહેરના કઠવાડા રોડ પર રહેતી એક સગીરાએ તેના જ પતિ સામે બળાત્કારની ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે, હજુ બે દિવસ પહેલાં જ સુપ્રીમ કોર્ટે 18 વર્ષથી ઓછી વયની દીકરી સાથે શારીરિક સંબંધ બળાત્કાર ગણાશે, તેવો ચૂકાદો આપ્યો હતો. ત્યારે પરિણીત સગીરાની ફરિયાદને આધારે પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે.
સગીરાના નિવેદનને આધારે નિકોલ પોલીસે સગીર પત્ની સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધતાં તેના પતિ વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ તેમજ સગીરાનાં માતા-પિતા અને સાસુ-સસરા વિરુદ્ધમાં બાળ લગ્ન કરાવવા અંગે તથા બળાત્કારમાં મદદગારી કરવા મામલે ફરિયાદ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, અમદાવાદ જિલ્લાના દસ્કોઇ તાલુકામાં આવેલા કઠવાડા રોડ પર આઝાદ ચોક પાસે રહેતી એક ૧૬ વર્ષની સગીરાના 13 વર્ષની ઉંમરે ધોળકા તાલુકાના કાવિઠા ગામના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી સગીરા માતા-પિતા સાથે જ રહેતી હતી. જોકે, દિવાળી, નવરાત્રિના તહેવારોમાં તે સાસરીમાં જતી હતી. આ સમયે સગીરા સાથે પતિ શારીરિક સંબંધ બાંધતો હતો.
આ સમયે સગીરાએ મહિલા હેલ્પલાઇનના કર્મચારીઓને માતા પિતા, સાસુ સસરા તેમજ પતિ વિરુદ્ધમાં ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા. સગીરાએ જણાવ્યું હતું કે મારા માતા-પિતા બળજબરીપૂર્વક સાસરીમાં મોકલે છે. સગીરાની વ્યથા સાંભળીને હેલ્પલાઇનના કર્મચારીઓ તેને નિકોલ પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા. જ્યાં તેણે પતિ, માતા-પિતા અને સાસુ-સસરા વિરુદ્ધ બળાત્કાર તેમજ બાળ લગ્ન કરાવવાની ફરિયાદ કરી છે.
બીજી તરફ સગીરાના પરિવારજનો તેને સાસરીમાં જવા માટે દબાણ કરતા હતા. ત્યારે કંટાળેલી સગીરાએ 181 હેલ્પલાઇન પર ફોન કર્યો હતો અને પોતાની આપવીતી જણાવી હતી. સગીરાની ફરિયાદ મળતાં મહિલા હેલ્પલાઇનના કર્મચારીઓ સગીરાના ઘરે પહોંચ્યા હતા અને તેની સાથે વાતચીત કરી હતી.
દિવાળી આવતી હોવાથી સગીરાને તેના સાસુ-સસરા લેવા માટે તેના ઘરે આવ્યા હતા. જોકે, સગીરાને પતિ ગમતો ન હોવાથી સાથે જવાનો ઇનકાર કરી દેતા સાસુ-સસરાને પરત ફરવું પડ્યું હતું. પતિ અભણ પણ હોવાથી સગીરાને પતિ ગમતો નહોતો. આથી તેણે સાથે જવાનો ઇનકાર કરી દીધો હતો.