✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુનીલ ગ્રોવર સામે અમદાવાદ પોલીસે કર્યો કેસ, શાની તપાસ હાથ ધરાઈ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 May 2017 09:45 AM (IST)
1

અમદાવાદઃ ધ કપિલ શર્મા શોમાં ડો.ગુલાટીના પાત્રથી જાણીતા બનેલી ટીવી સ્ટાર સુનીલ ગ્રોવર અને અન્ય સાથી કલાકારોનો આગામી 27મી મેના રોજ અમદાવાદમાં યોજાનારો લાઈવ શો રદ કરાયો છે. સુનીલ ગ્રોવર અને તેના ઇવેન્ટ મેનેજર દેવાંગ શાહ સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ દાખલ થતા સુનીલે આ શો બંધ રાખ્યો છે.

2

જોકે, ગત 11 એપ્રિલે દેવાંગ શાહે અચાનક ઈવેન્ટ અમદાવાદમાં યોજી શકાય તેમ નહીં હોવાનું જણાવી પૈસા રીફંડ કર્યા હતા. બાદમાં તેઓ બીજા ઓર્ગેનાઇઝર સાથે આગામી ૨૭મી જૂનના રોજ લાઈવ પરફોર્મન્સ યોજવાનુ નક્કી કરીને ફરિયાદી સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી આચરી છે. કોર્ટે નવરંગપુરા પોલીસને ફરિયાદ દાખલ કરી ઈન્કવાયરી કરવા અને 60 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.

3

આ ઈવેન્ટ 10 જૂને યોજવાનું નક્કી થયું હતુ. પરંતુ પાછળથી આખી ઈવેન્ટ તા. 27 જૂને રોજ અમદાવાદમાં યોજવાનું ફાઈનલ થયુ હતુ. આ ઇવેન્ટને લઈને ગત 8 એપ્રિલે સુનીલ ગ્રોવર અને દેવાંગ શાહ કેન્સવીલા ગોલ્ફ કલબ આવ્યા હતા. જ્યાં તેમણે 20 અથવા ૨૧ જૂને લાઈવ પરફોર્મન્સ શો યોજવાનું નક્કી કર્યું હતું. તેમજ આના માટે રૂ.10 લાખનું પેમેન્ટ તરીકે સુનીલ ગ્રોવરના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

4

તેમણે જણાવ્યું હતું કે, સુનીલ ગ્રોવર અને તેના સાથી કલાકારો સુનંદા મિશ્રા ,કીકુ શારદા, ચંદન પ્રભાકર અને અલી અસગર શોમાં આવશે. જેનો રૂ. 40 લાખ ઉપરાંત ર્સિવસ ટેકસનો ખર્ચ થશે. એટલું જ નહીં, આ લાઈવ પરફોર્મન્સ માટે સુનીલ ગ્રોવરે 50 ટકા પૈસા એડવાન્સ લેવાની અને બાકીના ઈવેન્ટના દસ દિવસ પહેલા ચૂકવી દેવા જણાવ્યુ હતુ.

5

આ અંગેની વિગતો એવી છે કે, આશ્રમ રોડ પર આવેલી જશુ પૂજા ઇવેન્ટના કર્મચારી રાજપાલ વાસ્તુપાલે કોર્ટમાં ફરિયાદ કરી છે કે, આરોપી દેવાંગ શાહની એક્સ ફેક્ટરની વેબસાઇટ પર લાઈવ પરફોર્મન્સ અને ઇવેન્ટની વિગતો જાણી ગત તારીખ 4 એપ્રિલે તેમણે મારો સંપર્ક કર્યો હતો.

6

કોર્ટમાં સુનાવણી વખતે સુનીલ ગ્રોવરે જણાવ્યું હતું કે, તેણે આ શો રદ કર્યો છે. હવે આ કેસમાં વધુ સુનાવણી 5મી જૂને થશે. સુનીલ ગ્રોવર અને તેના અન્ય સાથે કલાકોરોએ અમદાવાદમાં લાઇવ શો યોજવાનો કરાર કરવામાં આવ્યો હતો. જોકે, તેનો ભંગ થતા આ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં નવરંગપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • હોમ
  • અમદાવાદ
  • સુનીલ ગ્રોવર સામે અમદાવાદ પોલીસે કર્યો કેસ, શાની તપાસ હાથ ધરાઈ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.