✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં નિવેદન બાદ ઠાકોરો કેમ ભડક્યાં? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Oct 2018 08:38 AM (IST)
1

રાજકીય નિવેદન કરી જાણે નાયબ મુખ્યમંત્રીએ ઠાકોરોને ઉશ્કેર્યાં છે. રવિવારે નિતીન પટેલે એવું નિવેદન કર્યું હતું કે, ઠાકોર સેના એલાન આપે, કાર્યકરો આંદોલન કરે અને પરપ્રાંતીયોને ધમકી આપે જેનો મતલબ સાફ છે કે, ઠાકોર સેનાના આગેવાનો સંડોવાયેલા છે અને સીધી ભૂમિકા છે.

2

અમદાવાદના સોલા, રિવરફ્રન્ટ, ઓઢવ, સરદારનગર, ઘાટલોડિયા, વેજલપુર વિસ્તારમાં પરપ્રાંતિય લોકો ઉપર હુમલાની ઘટનાઓ બની છે. રાજ્યભરમાં પરપ્રાંતિય લોકો ઉપર થયેલા હુમલા બાબતે નોંધાયેલા 42 ગુનાઓમાં અમદાવાદમાં 7 ગુના નોંધાયા છે. જેમાં પોલીસે 100 માણસોની ધરપકડ કરી છે.

3

લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, પાટીદાર આંદોલનને યુ ટર્ન આપવા નાયબ મુખ્યમંત્રીને જ જાણે ઠાકોરેને ઉશ્કેરવામાં રસ જાગ્યો હતો જેના કારણે તેમણે આવું નિવેદન કર્યું હતું. સોશિયલ મીડિયામાં નિતીન પટેલનું આ નિવેદન વાયરલ થયું છે. જેના કારણે ઠાકોર યુવાઓ નાયબ મુખ્યમંત્રી પર ભડક્યા છે.

4

અમદાવાદ: સાબરકાંઠામાં 14 મહિનાની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરાયા બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ પરપ્રાંતીયો પર હુમલાની ઘટના સામે આવી હતી. પરપ્રાંતીયો પર થતાં હુમલાઓ થવાની ઘટનાઓ હજુ શમી નથી ત્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવું નિવેદન કર્યું હતું કે, પરપ્રાંતીયો પર થતાં હુમલામાં ઠાકોર સેના અને તેના આગેવાનોની મૂખ્ય ભૂમિકા છે જેના કારણે બળતાંમાં ઘી ઉમેરાયું છે.

  • હોમ
  • અમદાવાદ
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં નિવેદન બાદ ઠાકોરો કેમ ભડક્યાં? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.