અમદાવાદમાં રામ મંદિર મુદ્દે કોંગ્રેસના નેતા અહેમદ પટેલે શું કહ્યું? જાણો વિગત
આ સાથે જ રામમંદિર મુદ્દે ઉલ્લેખ કરતાં અહેમદ પટેલે જણાવ્યું હતું કે, રામ મંદિર મુદ્દે અમારું સ્ટેન્ડ ક્લીયર છે. રામમંદિર મામલે કોર્ટનો ફેંસલો કોંગ્રેસને માન્ય રહેશે. લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો જીતવાનો પ્રયાસ કરીશું તેવું પણ અહેમદ પટેલે જણાવ્યું હતું.
આ દરમિયાન અહેમદ પટેલે ભાજપ પર આકરાં પ્રહાર કરતા જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાતને શું ફાયદો થયો તે ગુજરાતની સરકારે કહેવું જોઈએ. વાઈબ્રન્ટ ગુજરાતમાં કેટલું રોકાણ થયું તેના પર ભાજપ સરકારે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ.
અમદાવાદ ખાતે આયોજિત પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારી બેઠકમાંમાં અહેમદ પટેલે કોંગ્રેસનાં કાર્યકારોને આગામી લોકસભા ચૂંટણીને લઈ પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ આપ્યું હતું. આ કારોબારી બેઠકમાં ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.