ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અમિત ચાવડા ક્યારે પદગ્રહણ કરશે? કોણ કોણ રહેશે હાજર? જાણો વિગત

ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવે તેવી એક ઘટનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી આખરે ભરતસિંહ સોલંકીની વિદાય થઈ ગઈ છે. ભરતસિંહ સોલંકીના સ્થાને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ યુવા નેતા અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે નિમ્યા છે.
અમિત ચાવડા આ સમારોહ પછી કોંગ્રેસના કાર્યકરોને સંબોધશે. આ સંબોધનમાં ચાવડા પોતાની નવી ટીમ ક્યારે રચાશે તે અંગે પણ જાહેરાત કરે તેવી શક્યતા છે. આ સંમેલન પછી કોંગ્રેસની કોર કમિટીની બેઠક મળશે અને તેમાં લોકસભાની આગામી ચૂંટણી અંગે ચર્ચા કરાશે તેમ કોંગ્રસનાં સૂત્રો જણાવે છે.
આ પ્રસંગે એઆઈસીસીના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે વિદાય લેનારા અશોક ગેહલોત ખાસ હાજર રહેશે. આ ઉપરાંત ગેહલોતના સ્થાને ગુજરાતના પ્રભારી નિમાયેલા રાજીવ સાતવ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે.
ગુજરાત કોંગ્રેસની જાહેરાત પ્રમાણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદે અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ અને કાર્યકર સંમેલન આગામી 4 એપ્રિલે યોજાશે, 4 એપ્રિલે બપોરે 3 કલાકે અમદાવાદના એલીસબ્રીજ ખાતે આવેલા રાજીવ ગાંધી ભવનમાં પ્રદેશ પ્રમુખપદે અમિત ચાવડા શપથ લેશે અને પદગ્રહણ કરશે.
અમદાવાદ: રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે યુવા ધારાસભ્ય અમિત ચાવડાની વરણી કરી છે. અમિત ચાવડા ક્યારે પ્રમુખપદનો કાર્યભાર સંભાળશે તે મુદ્દે અટકળો ચાલતી હતી ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકીને આ અંગેનો કાર્યક્રમ જાહેર કર્યો છે.