✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત કોંગ્રેસના નારાજ નેતાઓને મળવાની રાહુલ ગાંધીએ કેમ ના પાડી દીધી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2019 11:11 AM (IST)
1

રાહુલ ગાંધીએ 9 જાન્યુઆરીએ દિલ્હીમાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી અંગેની વ્યૂહરચના ચર્ચાશે. આ બેઠકમાં તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખો, AICC મહામંત્રી અને પ્રભારીઓ હાજર રહેશે. આ બેઠક દરમિયાન રાહુલ નારાજ નેતાઓને મળશે પણ તેમની નારાજગીના મુદ્દે કોઈ ચર્ચા નહીં કરે.

2

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ કોંગ્રેસના નારાજ નેતાઓને મનાવી લેવા માટે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે. આ નેતાઓને રાહુલ ગાંધી મળે તેવી શક્યતા હતી પણ હવે રાહુલ ગાંધી તેમને મળવાના નથી.

3

કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે, નારાજ નેતાઓ કોંગ્રેસ પરિવારનો જ લહિસ્સો છે ત્યારે પ્રભારી તરીકે તેમને મનાવવાની જવાબદારી પ્રભારીની છે. આ પ્રકારની નાની નાની વાતોની ચર્ચા કરનાના બદલે પરસ્પર સાથે બેસીને સમાધાન શોધવા તેમણે સાચવે કહ્યું છે.

4

હવે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આ નેતાઓને નહીં મળે પણ તેના બદલે રાજીવ સાતવ તેમને મળશે. રાહુલ ગાંધીએ રાજીવ સાતવને આ નેતાઓને મનાવવાની અને ગુજરાત કોંગ્રેસમાં બઘધું સરખું કરવાની જવાબજારી સોંપી છે. આ નેતાઓની નારાજગી દૂર થાય પછી રાહુલ તેમને મળશે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાત કોંગ્રેસના નારાજ નેતાઓને મળવાની રાહુલ ગાંધીએ કેમ ના પાડી દીધી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.