✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આણંદમાં કુતરાની લડાઈમાં ટોચના અધિકારાના પુત્રએ કરી હત્યા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jul 2018 09:37 AM (IST)
1

યુવકો કઇ સમજે તે પહેલા જ અર્જુને ઝઘડો કરી તેની પાસે રહેલો બરફ તોડવાનો લોખંડનો સળિયો મનનના પેટ અને મ્હોંના ભાગે ઉપરા-છાપરી બેથી ત્રણ વાર મારી દીધો હતો. જોકે, અચાનક થયેલા હુમલાને કારણે મનન તેમજ તેની સાથેના બંને મિત્રો ભયભીત થઈ ગયા હતા અને તુરંત જ તેને લઈને નીચે ઉતરી ગયા હતા. જોકે, તેને હોસ્પિટલમાં ખેસડાય તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.

2

આ દરમિયાન સોમવારે તેઓ કૂતરો પાછો આપી પૈસા પરત આપવાની માંગ કરી હતી. પરંતુ તેણે પૈસા પાછા આપ્યા નહોતા. જેને પગલે મંગળવારે બપોરે ચાર વાગ્યે ચેતનભાઇની ત્યાં કામ કરતા મનન તેમજ અન્ય બે યુવકો અર્જુનના ઘરે ગયા હતા અને આ બાબતે સમજાવવાની કોશિશ કરી હતી.

3

કરમસદ ખાતે રહેતા ચેતનભાઈ પટેલ કૂતરાં પાળવાનો શોખ ધરાવતાં હતાં જ્યારે સાથે વેબસાઈટ બનાવવાનું પણ કામ કરતાં હતાં. જેમાં તેમની સાથે ચારથી પાંચ યુવકો કામ કરે છે. ચેતન પટેલે એક માસ પહેલા ગણેશ ચોકડી સ્થિત મહર્ષિ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા અર્જુન નરેન્દ્ર પટેલ પાસેથી 15 હજારમાં રોટવિયર નામનો કૂતરો ખરીદ્યો હતો. જોકે, થોડાં જ સમયમાં કૂતરો બિમાર પડતાં તેમણે અર્જુન પટેલને કૂતરો શારીરિક બિમાર હોવાની જાણ કરી હતી.

4

આણંદ: આણંદની ગણેશ ચોકડી સ્થિત મહર્ષિ એપાર્ટમેન્ટમાં રહેતા પૂર્વ શિક્ષણાધિકારીના પુત્રે મંગ‌ળવારે બપોરે કૂતરાંના વેચાણ બાબતે ફરિયાદ કરવા આવેલા ત્રણ યુવક પૈકી 22 વર્ષીય યુવકના પેટ અને મ્હોંના ભાગે બરફ તોડવાનો સળિયો મારી કરપીણ હત્યા કરી હતી. સમગ્ર ઘટના બાદ શખ્સ જાતે જ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો.

  • હોમ
  • આણંદ
  • આણંદમાં કુતરાની લડાઈમાં ટોચના અધિકારાના પુત્રએ કરી હત્યા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.