Amalaki Ekadashi Upay 2023: આમલકી એકાદશીના દિવસે વિષ્ણુ સિવાય શિવ-પાર્વતીની પૂજાનું પણ મહત્વ છે. આજે આમલિકા  સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવાથી

  કામમાં ઝડપથી સફળતા મળે છે


3 માર્ચ એટલે આજે ફાલ્ગુન માસના શુક્લ પક્ષની એકાદશી છે. તમામ એકાદશીઓમાં આમલકી  એકાદશીનું વિશેષ મહત્વ છે. આ એકાદશીમાં વિષ્ણુ સિવાય શિવ-પાર્વતીની પૂજા કરવાની પણ વિધિ છે. આજે આમલી એકાદશીના દિવસે સૌભાગ્ય યોગ રચાઈ રહ્યો છે. આ ખૂબ જ શુભ યોગ છે. આ યોગમાં કરેલા કાર્યો ફળદાયી રહે  છે. આમલકી એકાદશીના દિવસે આંબળા સાથે  કેટલાક ખાસ ઉપાય કરવાથી કાર્યોમાં ઝડપથી સફળતા મળે છે.


આમલકી એકાદશીના અચૂક સચોટ ઉપાય


આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘરમાં આંબળાનું  ઝાડ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે આંબળાનું વૃક્ષ વાવવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે અને કરિયરમાં પ્રગતિ થાય છે.


આમલકી એકાદશી પર 21 તાજા પીળા ફૂલોની માળા બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ખૂબ જ પસંદ છે. આવી સ્થિતિમાં આ ફૂલ ચઢાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા તમારા પર બની રહે છે.


આમલકી એકાદશીના દિવસે આમળાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુને આંબળાનું  ફળ ચઢાવો. તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.


આમલકી એકાદશીના દિવસે આંબળાના  ઝાડને સ્પર્શ કરીને પ્રણામ કરવા જોઈએ. તેની સાથે જ આ વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ. આ પછી તેની માટી કપાળ પર લગાવો. એવું માનવામાં આવે છે કે આનાથી કામમાં બમણી સફળતા મળે છે અને જો તમને કાર્યસ્થળ પર કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તે પણ દૂર થઈ જાય છે.


જો પતિ-પત્ની વચ્ચે મતભેદ હોય અને દરરોજ ઝઘડા થતા હોય તો આંબળાના  ઝાડના થડ પર સાત વાર દોરો બાંધો. આ પછી ઘીનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી તમારા સંબંધોમાં સુધારો થશે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.