લોકોના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. આકસ્મિક ઘટનાઓ, સ્વાસ્થ્ય સંબંધી પરેશાની, વેપાર-ધંધા બરાબર ન ચાલવા સહિત અનેક મુશ્કેલીઓથી દરેક વ્યક્તિએ ક્યારેકને ક્યારેક ઝઝૂમવું પડે છે. આ સ્થિતિમાં શિવજી મૃત્યુંજય મંત્ર વિશેષ લાભકારી છે.


ओम् त्र्यम्बकं यजामहे सुगन्धि पुष्टिवर्धनम्।

उर्वारुकमिवबन्धनान्मृत्योर्मुक्षीयमामृतात्।।

આ મંત્રના ઉચ્ચારણમાં સહેજ પણ દોષ સ્વીકારવામાં આવતો નથી. તેનું આદરની મુદ્રામાં ઉચ્ચારણ કરવું જોઈએ. તેનાથી મૃત્યુ સંકટ ટળી જાય છે. આ મંત્ર પર વિવિધ વૈજ્ઞાનિક શોધ ચાલુ છે. ઘણી હોસ્પિટલોમાં આ મંત્રનો પાઠ કરાવીને દર્દી પર મંત્રના પ્રભાવનું રિસર્ચ પણ કરવામાં આવ્યું છે.

શારીરિક તકલીફોમાં આ મંત્ર પ્રભાવી હોવાની સાથે અન્ય ભૌતિક તથા દૈવિક સંતાપમાં પણ અસરકારક છે. શનિની સાડા સાતી અને ઢૈયાનો નકારાત્મક પ્રભાવ મહામૃત્યુંજયના જપથી દૂર થાય છે.

વિશેષ અનુષ્ઠાનમાં સવા લાખ જાપ કરવામાં આવે છે. તેનો દસાંશ હવન કરવામાં આવે છે. તેમાં 11 સાધકોનો સહયોગ લેવામાં આવે છે. આ જાપ અને હવનથી ઈચ્છિત પરિણામની પ્રાપ્તિ થાય છે. નિત્ય પૂજામાં આ મંત્રના પાઠથી સંકટો વ્યક્તિથી દૂર રહે છે.

મોદી સરકાર સૌનો સાથ સૌનો વિકાસ યોજના દ્વારા દરેકના ખાાતામાં જમા કરશે એક લાખ રૂપિયા ? જાણો શું કરી સ્પષ્ટતા

લીંબડી-લખતર રોડ ઉપર બાઇક-છકડો વચ્ચે અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત

Team India ના આ ગુજરાતી ક્રિકેટરે કર્યા લગ્ન, કોઈને ખબર પણ ન પડી, Photos