સુરેન્દ્રનગર: રાજ્યના રોડ રસ્તા પર યમરાજાના આંટા ફેરા વધી ગયા હોય તેમ જીવલેણ અકસ્માતની ઘટના અટકવાનું નામ જ નથી લઈ રહી. લીંબડી-લખતર રોડ પર આજે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી.


મળતી વિગત પ્રમાણે, લીંબડી-લખતર રોડ પર ધાધરેટીયા ગામ નજીક બાઇક ચાલક અને છકડો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી. ઈજાગ્રસ્તોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

થોડા દિવસ પહેલા  ધ્રાંગધ્રા હળવદ રોડ પર બસ અને કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના કમાકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

Farmers Protest: આ જાણીતી પોપ સ્ટારે ખેડૂતોના સમર્થનમાં કર્યુ ટ્વીટ, લખ્યું- આપણે આ અંગે કેમ વાત નથી કરતા ?

Team India ના આ ગુજરાતી ક્રિકેટરે કર્યા લગ્ન, કોઈને ખબર પણ ન પડી, Photos

રાશિફળ 3 ફેબ્રુઆરીઃ  મેષ, મિથુન, કન્યા અને તુલા રાશિના જાતકો આ માલે રહેજો સતર્ક, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ