Benefits of Bracelet Wearing: હાથ, કાન કે ગળામાં ધાતુના આભૂષણો પહેરવા એ ફેશનની સાથે-સાથે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ શુભ માનવામાં આવે છે. ઘણીવાર લોકો સોના, ચાંદી, તાંબા અથવા પિત્તળની ધાતુની વીંટી અથવા કડા પહેરેલા જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આમાંથી કઈ ધાતુ પહેરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કઈ ધાતુ પહેરવી શ્રેષ્ઠ છે અને તેને પહેરવાના નિયમો શું છે.


કડા પહેરવાનો છે ખાસ નિયમ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ ધાતુને ધારણ કરતા પહેલા જાણકારની સલાહ લેવી. કોઈપણ ધાતુનું બ્રેસલેટ પહેર્યા પછી ખરાબ સોબતથી બચવું જોઈએ. આ ઉપરાંત કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન ન કરો. એ પણ ધ્યાનમાં રાખો કે કોઈના પ્રત્યે નફરત ન રાખો


ચાંદીનું કડું પહેરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે


જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે ચાંદી અથવા સોનાનું કડું પહેરવાથી લક્ષ્મી  માતા પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. માતા લક્ષ્મીની કૃપાથી ભક્તોના જીવનમાં ધન અને વૈભવની કમી નથી આવતી. ઉપરાંત વિવાહિત જીવનમાં પણ ખુશીઓ જળવાઈ રહે છે. તેમજ લવ લાઈફમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી.  


મળે છે માનસિક શાંતિ


જ્યોતિષમાં તાંબાને વિશેષ માનવામાં આવે છે. તેને પહેરવાથી મન શાંત રહે છે. ઉપરાંત મનમાં ચાલી રહેલા વિચારો અને ઉથલ-પાથલ પણ શાંત થાય છે. આ સાથે કડું અનેક પ્રકારની બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં  બિઝનેસમાં પણ લાભ અપાવે છે.


Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ  લો.