Chaturmas 2022: ચાતુર્માસ 2022 રવિવાર, 10 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. આ દિવસે એકાદશી તિથિ પણ છે. આ એકાદશી દેવશયની એકાદશી તરીકે ઓળખાય છે. કારણ કે બ્રહ્માંડના સર્જક ભગવાન વિષ્ણુ આ દિવસે યોગ નિદ્રામાં જાય છે. તેઓ 4 મહિના સુધી આ યોગમાં રહે છે. આ કારણે આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે ભગવાનની સુષુપ્ત અવસ્થામાં કોઈપણ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું પરિણામ શુભ નથી મળતું.


ચાતુર્માસની શરૂઆત અને દેવશયની એકાદશીની તારીખ


અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 9 જુલાઈ શનિવારના રોજ સાંજે 4:39 વાગ્યાથી શરૂ થશે.


દેવશયની એકાદશી 10મી જુલાઈના રોજ બપોરે 2.13 વાગ્યા સુધી રહેશે.


10 જુલાઇને રવિવારે દેવશયની એકાદશીનું વ્રત કરવામાં આવશે.


દેવશયની એકાદશીના દિવસે ચાતુર્માસની શરૂઆત માનવામાં આવે છે, આ દિવસથી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.


ચાતુર્માસમાં નથી થતાં આ કામ



  • ચાતુર્માસમાં લગ્ન, સગાઈ, મુંડન, ગૃહપ્રવેશ વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી.

  • પરિણીત વ્યક્તિએ ચાતુર્માસ દરમિયાન તેની પત્ની સાથે સહવાસ ન કરવો જોઈએ.

  • ચાતુર્માસનું વ્રત પૂર્ણ કરનારે જમીન પર સૂવું જોઈએ.

  • ચાતુર્માસમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું ફરજિયાત છે.

  • ચાતુર્માસમાં વ્રત રાખનારા લોકોએ તેમના વાળ, દાઢી અને નખ કાપવા જોઈએ નહીં.

  • ચાતુર્માસમાં ભગવાનની ભક્તિ માટે, વ્યક્તિએ તન, મનથી શુદ્ધ રહેવું જોઈએ અને ભગવાનને આદરપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ.

  • સંત મહાત્મા લોકો પણ ચાતુર્માસમાં એ જ સ્થળે રોકાઈને ભગવાનની પૂજા કરે છે. તેથી ચાતુર્માસ દરમિયાન વ્રત રાખનારાઓએ મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

  • ચાતુર્માસ દરમિયાન માંસ, દારૂ, ડુંગળી, લસણ વગેરે ન ખાવા જોઈએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.