Garuda Purana 2024: ગરુડ પુરાણ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ પુરાણ છે. તે વેદ પછી હિંદુ ધર્મના મુખ્ય ગ્રંથોમાંનો એક છે. આધ્યાત્મિક, ધાર્મિક અને દાર્શનિક જ્ઞાન તેમાં દર્શાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં ધર્મ, આધ્યાત્મિકતા, મોક્ષ, જીવન માર્ગ, જીવોની ક્રિયાઓ અને તેના પરિણામો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. જીવનનું રહસ્ય તેમાં છુપાયેલું છે.


મૃત્યુ પછી કરવામાં આવે છે ગરુડ પુરાણના પાઠ


કોઈના મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગરુડ પુરાણના પાઠ કરવાથી આત્માને આ સંસારમાંથી મુક્તિ મળે છે અને તે નિર્ધારિત સ્થાન તરફ પ્રયાણ કરે છે. વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધિત ગરુડ પુરાણ મૃત્યુ પછી મોક્ષ પ્રદાન કરનાર માનવામાં આવે છે. તેના દેવ સ્વયં વિષ્ણુ માનવામાં આવે છે, તેથી જ તે વૈષ્ણવ પુરાણ છે.


ગરુડ પુરાણમાં મૃત્યુ પછી મનુષ્યનું શું થાય છે તેની માહિતી આપવામાં આવી છે. તે જણાવે છે કે મૃત્યુ પછી વ્યક્તિ કઈ જાતિમાં જન્મ લે છે, ભૂત-પ્રેતથી કેવી રીતે મુક્તિ મળે છે, શ્રાદ્ધ અને પિતૃ કર્મ કેવી રીતે કરવા જોઈએ અને કેવી રીતે નરકની ભયંકર પીડામાંથી મુક્તિ મેળવી શકાય છે. ગરુડ પુરાણમાં જીવનની કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દુર્ભાગ્ય દર્શાવે છે. આ બાબતો ભવિષ્યમાં નુકસાન થવાની સંભાવના દર્શાવે છે.




ગરુડ પુરાણમાં દુર્ભાગ્યના આ સંકેતો આપવામાં આવ્યા છે



  • ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ ખૂબ જ ધનવાન છે પરંતુ તેના બાળકો બુદ્ધિશાળી નથી તો તે તેના દુર્ભાગ્યની નિશાની છે.

  • ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિની પત્ની ઘરમાં કોઈ કારણ વગર હંમેશા ઝઘડા કરતી રહે છે તો સમજી લેવું જોઈએ કે તેનું નસીબ ખરાબ છે.

  • ગરુણ પુરાણમાં કહેવાયું છે કે જો પરિવારનો કોઈ સભ્ય હંમેશા બીમાર રહે છે તો તે તેના દુર્ભાગ્યની નિશાની છે.

  • જો સફાઈ કર્યા પછી પણ ઘરમાં ગંદકી રહે છે, તો ગરુણ પુરાણ અનુસાર તે દરિદ્રતાના આગમનનો સંકેત છે.

  • ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિનું ઘર, પરિવાર અને સમાજમાં કોઈ કારણ વગર વારંવાર અપમાન થવું પડે તો તે દુર્ભાગ્યની નિશાની છે.


ડીસ્કલેમર: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.