Guru Purnima 2021 :અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને ગુરુ પૂર્ણિમા પર્વ તરીકે મનાવાય છે. આ પર્વ ગુરુના સન્માનમાં માનવવામાં આવે છે. આજે એટલે કે 24 જુલાઇ શનિવારના દિવસે ગુરુપૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે.


અષાઢ શુક્લપક્ષની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. આ પર્વ ગુરુના સન્માનમાં મનાવવામાં આવે છે. આજે એટલે કે, 24 જુલાઇના દિવસે ગુરુપૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. જ્યોતિષ મુજબ જો આજના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી સફળતા મળે છે તેમજ જીવનમાં સુખ શાંતિનો અનુભવ થાય છે. ઉપરાંત કેટલાક ખાસ ઉપાય કરવાથી આપ એકાગ્રતા બુદ્ધિ, સ્મરણ શક્તિને વધારી શકે છે.


જો આપના બાળકનું મગજ વધુ કામ ન કરતું હોય. યાદશક્તિ ન હોય તેમજ આપને ખુદ જ્ઞાન અર્જિત કરવામાં મુશ્કેલી પડે છે. વિદ્યાઅભ્યાસમાં અનેક વિધ્ન આવે છે. ખૂબ મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી આ સ્થિતિમાં ગુરુ પર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરવાથી વિધા અભ્યાસ સંબંધિત સમસ્યાને દૂર કરી શકાય છે.


પહલો ઉપાય
જો આપનો ગુરુ નબળો હોય કંડુલીમાં દોષ હોય તો પીપળાના વૃક્ષમાં જળ અર્પિત કરો. આ સાથે સાત વખત પીપળાને સૂતર લપેટો.આવું કરવાથી કુંડલીના દોષ દૂર થશે.


બીજો ઉપાય
કેસરના થોડા તાંતણા લઇને તેને ગંગાજળમાં ઘોળીને ગુરૂપૂર્ણિમાંથી માંડીને 40 દિવસ સુધી તેનું તિલક કરો. આવું ઉપાયથી એકાગ્રતા વધશે અને સ્મરણ શક્તિમાં પણ વૃદ્ધિ થશે.


ત્રીજો ઉપાય
જો આપના લગ્નમાં વિઘ્ન આવતાં હોય અથવા તો વિવાહમાં વિલંબ થઇ રહ્યો હોય તો. ગુરુપૂર્ણિમાના દિવસે લક્ષ્મી નારાયણના મંદિરે જઇને બે કેળના છોડ અર્પણ કરો. શીઘ્ર વિવાહના યોગ બનશે.


ચોથો ઉપાય
જો આપને નોકરી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો ગુરુપુર્ણિમાના દિવસે કોઇ સૂમસાન જગ્યાએ  અથવા કોઇ ચાર રસ્તા પર જઇને સિક્કો જમીનમાં દબાવી દો. આ ક્રિયા કર્યાં બાદ પાછળ ફરીને ન જોવું,. આપને શીઘ્ર નોકરી પ્રાપ્ત થશે.


પાંચમો ઉપાય
જો આપનો સમય ખરાબ ચાલી રહ્યો હોય. કોઇ કામ ન થતું હોય. દરેક કાર્યમાં વિઘ્ન આવતાં હોય તો આપે ગુરુને પીળા વસ્ત્રોની ભેટ અથવા પીળું ફુલ ગુરૂને અર્પણ કરવું. આજના દિવસે ભાવથી ગુરૂનું પૂજન અર્ચન કરવાથી પણ જીવનના દરેક વિઘ્નો દૂર થાય છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.