Navratri 2025: હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે.  જે આ વખતે 22 સપ્ચેમ્બરથી  નવરાત્રિની શરૂઆત થઇ,  આજે શારદિય નવરાત્રિનું બીજું નોરતું છે. રહી છે અને  1 ઓક્ટબેર  સમાપ્ત થશે. નવરાત્રીનો તહેવાર વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી, ચૈત્ર નવરાત્રી, માહ ગુપ્ત નવરાત્રી અને અષાઢ ગુપ્ત નવરાત્રી. પરંતુ મોટે ભાગે ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રી સામાન્ય રીતે ચૈત્રના શુક્લ પક્ષ દરમિયાન ઉજવવામાં આવે છે અને માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવે છે.

Continues below advertisement

નવરાત્રિ પર, મા દુર્ગાના ભક્તો માતાજીને  પ્રસન્ન કરવા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે. તો  કેટલાક લોકો પ્રથમ અને છેલ્લું નોરતાના  ઉપવાસ રાખે છે. તેથી જો તમે પણ પહેલીવાર 9 દિવસ માટે ઉપવાસ કરી રહ્યા છો, તો તમારે ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડશે, જાણીએ નવરાત્રિના વ્રત દરમિયાન શું ખાવું શું નહિ

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ફળો, સાબુદાણા, મગફળી  કોળું, ગોળ, ગાજર, કાકડી, કોલોસીયા, બટેટા, રાજગરાનો લોટ,  અને શક્કરીયાનું સેવન કરી શકાય છે અને લોકો તેમાંથી ઘણી બધી વાનગીઓ બનાવે છે.  જો કે વાનગીમાં મસાલા નાખતા પહેલા વ્રતમં કયાં મસાલા ખાવા તે જાણવા જરરી છે. ઉપવાસ દરમિયાન મસાલાનો ઉપયોગ કરી શકાય છે અને જેનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરી શકાતો નથી, તો ચાલો તેના વિશે જાણીએ.

Continues below advertisement

આ મસાલા ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે

 જીરું પાવડર

મરી પાવડર

 એલચી

 લવિંગ

 તજ

 ઓરેગાનો

- કોકમ

- નમક

આ મસાલાઓનો ઉપયોગ કરશો નહીં

- ગરમ મસાલા

- ધાણા પાવડર

- હળદર

- હીંગ

- સરસવ

- મેથીના દાણા

નવરાત્રિ વ્રત દરમિયાન સાત્વિક આહાર લેવામાં આવે છે અને તામસિક ભોજન ટાળવામાં આવે છે. તેથી આ વ્રતમાં ડુંગળી, લસણ, ઘઉંનો લોટ, ચોખા, રીંગણ, મશરૂમ ખાવાનું ટાળો. આ સાથે ઉપવાસ દરમિયાન વધુ પડતી તળેલી અને મીઠી વસ્તુઓથી દૂર રહો. તેના બદલે ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. જેનાથી તમે સ્વસ્થ રહેશો. કોઈ નબળાઈ અને પાચનની સમસ્યા નહીં થાય અને તમે દિવસભર ઉર્જાવાન અનુભવ કરશો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો