Vivah Muhurat 2023: 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી લગ્ન માટે માત્ર 13 મુહૂર્ત છે, આ વર્ષે 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી માત્ર 13 મુહૂર્ત છે. આ અબુજ મુહૂર્તમાં મોટી સંખ્યામાં લગ્નો થાય છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વધુ લગ્નો યોજાય છે. આવી સ્થિતિમાં દેવઉઠની એકાદશીથી લગ્નો શરૂ થશે. નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નના 13 દિવસના શુભ મુહૂર્ત દરમિયાન ઘણા યુગલો લગ્નના બંધનમાં બંધાશે.


જ્યોતિષી ડૉ.અનીશ વ્યાસે જણાવ્યું કે 23 થી 30 નવેમ્બર એટલે કે 8 દિવસમાં લગ્ન માટે 6 શુભ મુહૂર્ત છે. આ પૈકી 23મી નવેમ્બરે દેવઉઠની એકાદશી સારુ મુહૂર્ત છે.  નવેમ્બરમાં 6 અને વર્ષના અંતિમ મહિના ડિસેમ્બરમાં 7 ખાસ દિવસો રહશે. 29 જૂન, 2023 ના રોજ શ્રીહરિ વિષ્ણુ યોગ નિદ્રામાં ગયા અને આ દિવસથી ચાતુર્માસ શરૂ થયો.





આ વખતે શ્રાવણ અધિક માસના કારણે ચાતુર્માસ ચારને બદલે પાંચ માસનો રહ્યો. ચાતુર્માસની સાથે લગ્નની શરણાઈઓ બંધ થઈ ગઈ હતી. 16 ડિસેમ્બર 2023 થી 14 જાન્યુઆરી 2024 સુધી સૂર્ય ખરમાસમાં લગ્ન બંધ રહેશે. 


જ્યોતિષે જણાવ્યું કે 23 નવેમ્બરે દેવઉઠની એકાદશીથી  15 ડિસેમ્બર સુધી લગ્ન માટે કુલ 13 શુભ મુહૂર્ત રહેશે. 23 નવેમ્બરે દેવઉઠની એકાદશીથી શુભ કાર્યોની શરૂઆત થાય છે. ઓછા શુભ સમયને કારણે, મોટાભાગના સ્થળોએ લોકોને લગ્નના પાર્ટીપ્લોટ અને હોટલોમાં ઇચ્છિત તારીખ માટે બુકિંગ નથી મળી રહ્યું. મુહૂર્તની તમામ તારીખો પણ પંડિતો પાસે બુક થઈ ગઈ છે.


5 મહિનાનો ચાતુર્માસ 23 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. આ દિવસે શ્રી હરિ ફરી યોગ નિદ્રામાંથી બહાર આવશે. આ સાથે, છેલ્લા પાંચ મહિનાથી શાંત પડેલી શરણાઈ ફરી ગુંજવા લાગશે અને ઘોડીમાં સવાર થવા માટે વરરાજાની રાહનો પણ અંત આવશે. 22 નવેમ્બર પહેલા લગ્ન માટે એક પણ શુભ મુહૂર્ત નથી. 23 નવેમ્બરથી શુભ  શરુઆત થાય છે. 


જ્યોતિષે જણાવ્યું કે હિંદુ ધર્મમાં લગ્ન એક મહત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવે છે. સનાતન ધર્મમાં કોઈ પણ વ્યક્તિના લગ્ન કુંડળીને મેચ કરીને નક્કી કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે વર-કન્યાના ગુણ કુંડળીમાં મેળ ખાતા હોય અને શુભ સમયે લગ્ન થાય તો તેમને સૌભાગ્ય મળે છે. હિંદુ ધર્મમાં, કારતક મહિનામાં દેવઉઠની એકાદશીની તારીખથી લગ્નની વિધિ શરૂ થાય છે.


હિંદુ કેલેન્ડર મુજબ, દેવઉઠની એકાદશી કારતક મહિનામાં શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ વર્ષે દેવઉઠની એકાદશી 23 નવેમ્બરે ઉજવવામાં આવશે અને 24 નવેમ્બરે તુલસી વિવાહ થશે. કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 22મી નવેમ્બરે 11.03 મિનિટે શરૂ થશે અને 23મી નવેમ્બરે 09.01 મિનિટે સમાપ્ત થશે.


જ્યોતિષે જણાવ્યું કે સનાતન ધર્મમાં લગ્નને પવિત્ર વિધિ માનવામાં આવે છે. લગ્નનો શુભ સમય જ્યોતિષ કેલેન્ડર જોઈને અને જન્માક્ષર સાથે મેળ કરીને નક્કી કરવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂચિત છે કે શુભ મુહૂર્તમાં લગ્ન કરવાથી વર-કન્યાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેમજ તેમનું લગ્નજીવન સુખી રહે છે. તેથી, લગ્ન નક્કી કરતી વખતે, તારીખ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, લગ્ન સહિતના કોઈપણ શુભ કાર્ય પર પ્રતિબંધ છે. 


જ્યોતિષીએ જણાવ્યું કે પંચાંગ અનુસાર નવેમ્બરમાં 6 અને ડિસેમ્બરમાં 7 લગ્નના શુભ મુહૂર્ત છે.


નવેમ્બર: 23, 24, 25, 27, 28, 29
ડિસેમ્બર- ​​5, 6, 7, 8, 9, 11, 15


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને કેટલી માહિતીના આધારે લેવામાં આવી છે. Abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માહિતીની પુષ્ટી કરતું નથી. આ સૂચનને અમલી કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.