નરક ચતુર્દશીનો (Narak Chaturdashi 2024) દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને યમ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તિથિએ યમ દીવો પ્રગટાવવાની પરંપરા છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આ તે જ દિવસ છે જ્યારે ભગવાન કૃષ્ણએ 16,000 ગોપીઓને બચાવી હતી અને રાક્ષસ નરકાસુર પર વિજય મેળવ્યો હતો તો ચાલો જાણીએ કે આ વર્ષે નરક ચતુર્દશી ક્યારે ઉજવવામાં આવશે અને આ પ્રસંગે યમને શા માટે દીવો પ્રગટાવવામાં આવે છે?


નરક ચતુર્દશી તિથિનો શુભ સમય (Narak Chaturdashi Shubh Muhurat)


હિન્દુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખ 30 ઓક્ટોબરે બપોરે 01:15 વાગ્યે શરૂ થશે., તે બીજા દિવસે 31 ઓક્ટોબરે બપોરે 03:52 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કેલેન્ડરના આધારે, નરક ચતુર્દશી 30 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. તેમજ નરક ચતુર્દશીની સાંજે દીવો દાન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ અવસર પર દીવાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.


યમનો દીવો કેમ પ્રગટાવવામાં આવે છે?


કાળી ચૌદશના દિવસે યમદેવના નામ પર દીવો પ્રગટાવવાની પરંપરા છે. આ દીવાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નરક ચતુર્દશીના દિવસે યમનો દીપક પ્રગટાવવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય નથી રહેતો. આ સાથે તે વ્યક્તિ માટે નરકના દરવાજા બંધ થઈ જાય છે.


તેની સાથે જ વ્યક્તિને સારા સ્વાસ્થ્યનું વરદાન મળે છે અને યમદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં આ અવસર પર યમનો દીવો જરૂર કરો કારણ કે શાસ્ત્રોમાં પણ તેને ફરજિયાત માનવામાં આવે છે.


દિવાળીમાં લક્ષ્મી પૂજાનું જેટલું મહત્વ છે. તેટલું જ  શુભ મુહૂર્તનું પણ છે. ધન અને વૈભવની દેવી મા લક્ષ્મીની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી વધુ ફળદાયી રહે છે. કોશિશ કરવી જોઇએ કે મા લક્ષ્મીની પૂજા શુભ મુહૂર્તમાં જ કરવામાં આવે. જાણીએ આજના દિવસ પૂજા માટે ક્યું છે શુભ મુહૂર્ત


31મી ઓક્ટોબરે પૂજા કરવાનો શુભ સમય સાંજે 6.27 થી રાત્રે 8:32 સુધીનો છે. દિવાળી પૂજાનું નિશિતા મુહૂર્ત બપોરે 11:39 થી 12:31 સુધી છે. ધનતેરસ- 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.


Diwali 2024: દિવાળીની સફાઇમાં આ ચીજવસ્તુઓ મળે તો માનવામાં આવે છે ખૂબ શુભ, દૂર થઇ જશે પૈસાની તંગી