Navratri 2022: નવરાત્રી આ મહિનાની 26 તારીખથી શરૂ થઇ રહી છે. આવામાં લોકો પહેલાથી જ તૈયારીઓ કરીને રાખે છે. આ માતા દુર્ગાને સમર્પિત તહેવાર છે, જેમાં તેના 9 અવતારોને પૂજવામા આવે છે. આ 9 દિવસમાં લોકો ઉપવાસ અને વ્રત રાખે છે. જે લોકો વ્રત રાખે છે તે કેટલીક વસ્તુઓનુ સેવન કરવાનુ છોડી દે છે. ભગવદ ગીતા અને વૈદિક શાસ્ત્રોએ સાત્વિક, રાજસિક અને તામસિક શ્રેણીઓ અંતર્ગત ખાદ્ય પદાર્થોને વર્ગીકૃત કર્યા છે, અને નવરાત્રીના ઉપવાસ દરમિયાન માત્ર તે શાકભાજીનુ જ સેવન કરવામા આવે છે જે પ્રકૃત્તિને સાત્વિક હોય. જાણો અહીં કઇ કઇ વસ્તુઓનુ નવરાત્રી દરમિયાન ના ખાવી જોઇએ.
ડુંગળી અને લસણ -ડુંગળી અને લસણ બન્ને તામસિક હોય છે, આવામાં નવરાત્રી દરમિયાન આ બન્નેને ના ખાવા જોઇએ.
વટાણા -નવરાત્રી દરયિયાન બીન્સ અને વટાણા નાન ખાવા જોઇએ. કેમ કે બીન્સ અને વટાણાને ફળ નથી ગણવામાં આવતા, એટલે આને ખાવાની મનાઇ છે.
ઘઉં અને ચોખાનો લોટ -નવરાત્રીમાં લોકો ઉપવાસ કરે છે, આ દરમિયાન આખા દિવસ એનર્જીની જરૂર હોય છે, આવામાં આળસ ના આપે એવી વસ્તુઓને ખાવામાં આવ છે, આમાં ઘઉં અને ચોખાનો લોટ ત્યાગવો જોઇએ.
નૉન વેઝિટેરિયન ખાવાનુ -નવરાત્રીનો તહેવાર પવિત્ર છે, આ દરમિયાન માંસાહારી વસ્તુઓનુ સેવન ના કરવુ જોઇએ. તે કોઇપણ પ્રાણી વિરુદ્ધ હિંસા ગણાય છે, અને નૉન વેઝિટેરિયન ખાવાનાથી દુર રહેવુ જોઇએ.
Navratri Puja: 9 દેવીઓના 9 બીજ મંત્ર સાથે કરો નવરાત્રીમાં પૂજા, આ છે માતાજીના બીજ મંત્ર અને વિધિ
બીજ મંત્ર શું છે ?
હિન્દુ ધર્મ અનુસાર, તમામ દેવી-દેવતાઓના સંપૂર્ણ મંત્રોનું પ્રતિનિધિત્વ કરતા શબ્દને બીજ મંત્ર કહેવામાં આવે છે. બીજ મંત્રોને તમામ વૈદિક મંત્રોનો સાર માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર "ઓમ" ને સૌથી મોટો બીજ મંત્ર માનવામાં આવે છે. બીજ મંત્રોને તમામ મંત્રોની પ્રાણશક્તિ માનવામાં આવે છે, જેના ઉપયોગથી મંત્રોની શક્તિ અનેકગણી વધી જાય છે.
બીજ મંત્રોના જાપ કરવાની રીતનવરાત્રીના દિવસોમાં દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોના બીજ મંત્રોનો સવારે 4 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી જાપ કરવો જોઈએ. આ મંત્રોનો જાપ દરરોજ 1100 વાર તુલસી અથવા લાલ ચંદનની માળાથી કરવો જોઈએ. આ રીતે 9 દિવસ સુધી 9 હજાર મંત્રનો જાપ કરવાનો નિયમ છે.
દુર્ગા નવમી પર યજ્ઞ કરો
નવરાત્રીના અંતિમ દિવસે એટલે કે નવમી તિથિએ 251 મંત્રોનો યજ્ઞ કરવો જોઈએ. આમ કરવાથી જપનું ફળ જલ્દી મળવા લાગે છે.
9 દેવીઓના 9 બીજ મંત્ર
1- શૈલપુત્રી - ह्रीं शिवायै नमः
2- બ્રહ્મચારિણી - ह्रीं श्री अम्बिकायै नम:
3- ચંદ્રઘંટા - ऐं श्रीं शक्तयै नम:
4- કુષ્માંડા ऐं ह्री देव्यै नम:
5- સ્કંદમાતા - ह्रीं क्लीं स्वमिन्यै नम:
6- કાત્યાયની - क्लीं श्री त्रिनेत्रायै नम:
7- કાલરાત્રી - क्लीं ऐं श्री कालिकायै नम:
8- મહાગૌરી - श्री क्लीं ह्रीं वरदायै नम:
9- સિદ્ધિદાત્રી - ह्रीं क्लीं ऐं सिद्धये नम: ।।