Ravivar Mantra :  રવિવાર સૂર્ય પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માંગો છો તો રવિવારથી સારો કોઈ દિવસ નથી. આપણે નિયમિત નિયમ મુજબ દરરોજ સવારે સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ. શાસ્ત્રોમાં સૂર્યને બજરંગબલીના ગુરુ તરીકે વર્ણવવામાં આવ્યા છે. જો તમે રવિવારે સૂર્ય ભગવાનના આ મંત્રોનો જાપ કરશો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.


રવિવારો કરો આ સૂર્ય મંત્રોના જાપ


ॐ ह्रीं ह्रीं सूर्याय नमः ।।


ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा ।।


ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ।


ॐ घृ‍णिं सूर्य्य: आदित्य:।


ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर: ।।


એવું માનવામાં આવે છે કે જો તમે રવિવારે આ મંત્રોનો જાપ કરશો તો તમારા પર સૂર્ય ભગવાનની કૃપા થશે. તેમજ રવિવારે ઉગતા સૂર્યને તાંબાના વાસણમાં જળ લઈને તેમાં લાલ ફૂલ, સિંદૂર, અક્ષત, સાકર નાખીને અર્ઘ્ય અર્પણ કરવાથી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને ભગવાન સૂર્યની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે. રવિવારે સૂર્ય ભગવાનની પૂજા અને પાઠ કરવાથી અસંખ્ય લાભ થાય છે.


જે વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ બળવાન હોય છે તેને માન-સન્માનનો લાભ મળે છે. તે વ્યક્તિનું ભાગ્ય સૂર્યની જેમ ચમકે છે અને તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. રવિવારે સૂર્યની ઉપાસના કરવાથી સૂર્ય ભગવાનની કૃપા રહે છે.


રવિવારે ઘણા લોકો સૂર્યોદય પહેલા સ્નાન કરે છે અને સૂર્યને જળ અર્પણ કરે છે. એવું કહેવાય છે કે જેનો સૂર્ય બળવાન હોય છે, તેમના જીવનમાં કોઈ સમસ્યા આવતી નથી. સૂર્યની ઉપાસના અને સૂર્ય મંત્રનો દરરોજ 108 વાર જાપ કરવાથી વ્યક્તિને ચોક્કસ લાભ મળે છે. એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ સૂર્ય ભગવાનની પૂજા કરે છે અને દર રવિવારે સૂર્ય મંત્રનો જાપ કરે છે, તેની મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.