Rath Yatra News: ઓરિસ્સાના પુરીમાં યોજાતી જગન્નાથ રથયાત્રા દેશ ઉપરાંત દુનિયાભરમાં જાણીતી છે. જ્યાં દુનિયાભરમાંથી લોકો આ અદભૂત નજારો જોવા આવે છે. દર વર્ષે અષાઢ મહિનામાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રામાં ભગવાન કૃષ્ણની સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ હાજર છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જગન્નાથ રથયાત્રા 7 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે 16 જુલાઈના રોજ સમાપ્ત થશે. આ વર્ષે વર્ષો પછી જગન્નાથની યાત્રા પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વખતે તારીખોની ફેરફારના કારણે સતત બે દિવસ રથયાત્રા યોજાશે. આ પછી ગુંડીચા મંદિર પહોંચશે. દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ તીથિએ જગન્નાથ રથયાત્રા શરૂ થાય છે. જાણો અહીં જગન્નાથ રથયાત્રા વિશે...

53 વર્ષ બાદ બન્યો દુર્ગભ સંયોગઆ વર્ષે પુરીમાં જગન્નાથ રથયાત્રા બે દિવસ ચાલશે. પંચાંગ મુજબ આ વર્ષે અષાઢ માસના કૃષ્ણ પક્ષની તિથિઓમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં રથયાત્રા પહેલાની તમામ પરંપરાઓ 7 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ પછી રથયાત્રા સવારના બદલે સાંજે શરૂ થશે. પરંતુ રથયાત્રા બાદ રથ ચલાવવામાં આવતો નથી. આથી રથને રાત્રે રોકી દેવામાં આવશે અને 8મી જુલાઇના રોજ વહેલી સવારે આગળ વધવા લાગશે. આ પછી, આ દિવસે ગુંડીચા મંદિર પહોંચશે. તમને જણાવી દઈએ કે તારીખોનો આવો સંયોગ વર્ષ 1971માં બન્યો હતો.

ભગવાન જગન્નાથનો રથ - પહેલો રથ જગન્નાથજીનો છે, જેને નંદીઘોષ કહેવામાં આવે છે. આ સાથે તેમાં લહેરાતા ધ્વજને ત્રૈલોક્ય મોહિની કહેવામાં આવે છે. આ સાથે આ રથમાં કુલ 16 પૈડાં છે. આ રથમાં પીળા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે

ભગવાના બલરામ બિરાજશે બીજા રથ પર - ભગવાન બલરામના રથને તાલધ્વજ કહેવામાં આવે છે. આ સાથે રથમાં લહેરાવેલા ધ્વજને યુનાની કહેવામાં આવે છે. આ રથમાં કુલ 14 પૈડાં છે. આ સાથે આ રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેને વાસુકી કહેવામાં આવે છે.

માં સુભદ્રાનો ત્રીજો રથ - ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાનો રથ પણ બહાર કાઢવામાં આવે છે. આ રથને પદ્મ ધ્વજા કહેવામાં આવે છે. આ રથમાં કુલ 12 પૈડાં છે. આ રથમાં લાલ રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે ખેંચવાના દોરને સ્વર્ણચુરા કહેવામાં આવે છે.